Book Title: Pravachana Ratnakar 05
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 363
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૦ ] | પ્રવચન રત્નાકર ભાગ-૫ જેમાં નથી એવો ચૈતન્ય મહાપ્રભુ આત્મા છે. તેના ઉપર દૃષ્ટિ પડતાં અર્થાત્ વર્તમાન જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં એકત્વ પામતાં સમસ્ત વિકલ્પનો વ્યાપાર જેને અટકી ગયો છે એવો તે સમયસાર છે. જેવો શુદ્ધ ચૈતન્યમય આત્મા છે તેવો નિર્વિકલ્પ અનુભવમાં આવતાં આ સમયસાર છે એમ જાણવામાં આવે છે અને એ જ આત્મા છે. આ અપૂર્વ વાત છે, ભાઈ ! આ સિવાય રાગની કે વિકલ્પની વૃત્તિ ઉઠ તે અનાત્મા છે, જડ છે, અચેતન છે. સ્વાનુભવ દશામાં પ્રગટ થતા સમ્યગ્દર્શન વિનાનાં વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ એકડા વગરનાં મીઠાં છે. વળી એ રાગમાં તન્મય થવું એ મિથ્યાત્વભાવ છે. અહા ! જીવ પૂર્વે અનંતવાર નગ્ન જૈન સાધુ થયો અને પંચમહાવ્રત અને અઠ્ઠાવીસ મૂલગુણનું એણે પાલન કર્યું. પણ એ તો બધો શુભરાગ હતો. તેમાં (શુભરાગમાં) એકતા કરીને પરિણમવું એ મિથ્યાત્વભાવ છે અને એનું ફળ સંસાર જ છે. અહીં કહે છે-નયપક્ષથી રહિત થઈને જે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવે છે તે સમયસાર છે. અહાહા...! એકલું જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન! જાણગસ્વભાવનું દળ પ્રભુ આત્મા છે. તેની સન્મુખ થઈને તેને અનુભવતાં સમસ્ત વિકલ્પનો નાશ થઈ જાય છે અર્થાત્ ત્યારે કોઈ વિકલ્પ ઉત્પન્ન જ થતાં નથી. આને સમયસાર અર્થાત્ આત્મા કહે છે અને તે એકને જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નામ મળે છે. જુઓ, આ ચોથા ગુણસ્થાનની વાત છે. શ્રાવકપણું અને મુનિપણું તો તેનાથી આગળની કોઈ અદ્દભુત અલૌકિક દશાઓ છે. દેવ-ગુરુ-શાસ્ત્રનું બાહ્ય શ્રદ્ધાન કે નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન એ સમ્યગ્દર્શન નથી. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પંડિત પ્રવર શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે “જૈનમતમાં કહેલાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે તથા અન્યમતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માને નહિ તો એવા કેવળ વ્યવહારસમ્યકત્વ વડે તે સમ્યકત્વની નામને પામે નહિ, માટે સ્વપરભેદવિજ્ઞાનપૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યકત્વ જાણવું.' વીતરાગસ્વભાવી શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે, તેનો અંતર-અનુભવ કરવો તે એકને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એવું નામ મળે છે, તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સયમસારથી જુદા નથી, સમયસાર જ છે. જેમ સિદ્ધ પરમાત્માને કોઈ પરદ્રવ્ય કે વિકલ્પ સાથે સંબંધ નથી તેમ પરમાનંદસ્વરૂપ ભગવાન આત્માને કોઈ પરદ્રવ્ય કે વિકલ્પ સાથે સંબંધ નથી. અરે ભાઈ! પરદ્રવ્યની વ્યવસ્થા કરે એવું આત્માનું સ્વરૂપ નથી. શુભાશુભ રાગ કરે એવું પણ આત્માનું સ્વરૂપ નથી. શુભાશુભ રાગનો જે કર્તા થાય એ મિથ્યાષ્ટિ છે, અનાત્મા છે. પરદ્રવ્યની કોઈ પર્યાયને આત્મા કરે (કરી શકે) એ તો વાત છે જ નહિ, પણ પોતાની પર્યાયમાં રાગ કરે, વિકલ્પ કરે (કર્તા થઈને) એ મિથ્યાષ્ટિ છે. જાઓ, આ કર્તાકર્મ અધિકાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406