Book Title: Pathik 1991 Vol 31 Ank 09 Author(s): K K Shastri and Other Publisher: Mansingji Barad Smarak Trust View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાંધીવાદ વિરુદ્ધ નેહરુવાદ છે. હરીશ વયાસ • રાજિય આકાંક્ષાઃ ખૂબીની વહત તે એ છે કે દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં પંડિત જવાહરલાલ છે, એમના પિતા, એમનાં બહેને, એમનાં પત્ની અને સાથે નેહર-પરિવાર ગાંધીજી સાથે જ રહ્યો. ત્યાગ, સેવા, બલિદાન વગેરેમાં એઓ લવલેશ પાછળ ન રહ્યા. સત્યાગ્રહે, સવિનય કાનૂને; અસહકાર, હિન્દ છોડે લડત, પિકેટિંગ વગેરે એમના સમસ્ત પરિવારે ભાગીદારી ધાવેલી. સાદાઈ, સૌમ્યતા, સરળતા, નિખાલસતા, નમ્રતા, વિનયશીલતા વગેરે સદ્ગને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ ચક્રવર્તી રાજગોપાલાચારી, રાજેન્દ્રબાબુ, આચાર્ય કૃપલાણી, મૌલાના અબુલ કલામ આઝાદ, ઠે. શારી, પટ્ટાભિસિતારામૈયા, ગેવિન્દવલલભ પત્ત, અબ્દુલ ગફાર ખાન વગેરેમાં એમનું વ્યક્તિત્વ આગલી જ છાપ ઊભી કરતું, જેથી એએ ગાંધીજીના લગભગ પ્રિય પાત્ર બની ગયા ! એ એટલે સુધી કે “ઈમ્સ ઓફ ઈન્ડિયાના એક પત્રકારની પ્રશ્નોત્તરીમાં ગાંધીજીએ જવાહરલાલને પોતાના રાજકીય વારસહાર' અને સન્ત વિનોબાજીને પોતાના આધ્યાત્મિક વારસદાર' તરીકે ગણાવ્યા. લોકોને એ લોભામાશા અને 'પટામણા વ્યક્તિત્વને જોઈને લાગતું કે જરૂર એઓ ગાંધીજીને વારસે બરાબર શોભાવશે અને દેશને સુખી, સમૃદ્ધ અને આબાદ કરશે. ગાંધીશ”ન : ‘હિન્દ સ્વરાજય’ મેળવ્યા બાદ ગાંધીજી દેશમાં “પ્રામસ્વરાજ્ય યા લેકસ્વરાજ્ય દ્વારા ‘સર્વોદય સમાજ રચવા ઈચ્છતા હતા, એટલું જ નહિ, “અઢારવિધ રચનાત્મક કાર્યક્રમને સંપૂર્ણ અમદા એ જ છે સાચું સ્વરાજ્ય” એમ કહીને રચનાત્મક રાજકારણ યા લેકનીતિને માર્ગ ચીંધી રહ્યા હતા. “અખિલ હિન્દ રાષ્ટ્રિય મહાસભાનું રાજકીય સ્વાતંત્ર્ય પ્રાપ્તિનું કાર્ય પૂરું થયું છે એટલે એનું વિસન કરીને લોકસેવક સંઘ' સ્થાપવા માટે એમણે ખરડે તયાર કર્યો હતો. તા. ૧૫-૮-૧૯૪૭ ના દિવસે રાજય મળ્યા બાદ એમણે સાડા પાંચ માસ દરમ્યાન જે ઘટનાઓ, વહીવટ, જે જનતાની દા, ખુરશી માટેની ખેંચાતાણી, સત્તા-સંપત્તિ-હાઓ પાછળની ડાડી, ભારતના ભાગલા, રમી રમખા, પુનર્વસવાટના પ્રશ્નો, આગ, વિસા, તને, મારામારી, લૂંટફાટ, બળાત્કાર, અત્યામા વગેરે જોયાં ત્યારે એમનું દિલ રડી ઊઠયું! “શું ખાવું બધું જોવા માટે મેં સ્વરાજ્યની લડત કરી હતી ? શું મારા જ સાથીએ મારી ઉપેક્ષા અને અવગણના કરી રહ્યા છે?..શું આ બધા લોકો થના પતિ અને હોદાઓ હાંસલ કરવા માટે જ મારી સાથે જોડાયા હતા ?” રાષ્ટ્રપિતા ગાંધીજીએ પ્રવાસ વર્ષ,જીવવાની ઝંખન્ના પ્રગટ કરી હતી. આ સત્તા, સંપત્તિ અને પ્રતિષ્ઠા-દાએ કબજે કરવા માટેનું “નગ્ન નૃત્ય” જઈને એ ભારે વિમાસણ, મૂંઝવણ, દુઃખ અને બેચેની અનુભવતા હતા અને એટલે જ એમને કહેવું પડેલું કે “હે ઈશ્વર ! શું મારે આવું બધું જોવા માટે જીવવાનું ? હવે મારે સવાસો વર્ષ નથી જીવવું ..આવું બધું જવું પડે એના કરતાં તો બહેતર છે કે તું મને પાછો બોલાવી લે! “દિહી હાયરીમાં નોંધાયેલી આ બધી વાતે ખૂબ વેદનાપૂર છે ! ખેર, ગાંધીજી ઇરછે કે ન ઇaછે તેાયે એમણે વર્ણવેલ “સત્તા માટેનું નગ્ન નૃત્ય” અને ભયંકર વિનાશ માટેનું પતંગનૃત્ય ત્યારથી શરૂ થઈને ઉત્તરોત્તર જોરદાર, ઉત્કટ તથા તીવ્ર ગતિશીલ બનતાં ગયાં છે અને સમયના વિષય પ્રવાહમાં સેવા માટે સત્તા, સંપત્તિ અને ઉદા-પ્રતિષઠા' એ ગાંધીભાવનાઓ ઉત્તરોત્તર ક્ષીણ ત નષ્ટ થતી થઈ એટલું જ નહિ, રચનાત્મક રાજકારણ યા લેકકારણને બદલે સત્તાનું રાજકારણ અને પછી રાજકારણ જોરદાર બનતાં ગયાં, જેને યશ હરજી અને એમના સાથીઓને ફાળે જાય છે * દિશી કરજના ઠુંમશ: તા. ૩૦-૧-૧૯૪૮ ના દિવસે ગાંધીજી અવસાન પામ્યા અને દેશના જૂન/૧૯૨ પથિક For Private and Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32