Book Title: Pathik 1991 Vol 31 Ank 09
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૌર્યયુગ અને કચ્છ શ્રી સંજય પી. ઠાકર પ્રાચીન ભારતના મહાન રાજનીતિ, મૌર્યયુગના મહામાનવ, “અર્થશાસ્ત્ર ગ્રંથના રચયિતા ચાણક્યના જીવન પર આધારિત હિન્દી ટી. વી. સીરિયલ દર રવિવારે સવારે ટી. વી. પર દર્શાવાઈ રહી છે ત્યારે મૌર્ય યુગ સમયની કચ્છની સ્થિતિ, મૌર્ય શાસન અને કરછના સંબંધ વિશે જાણવું પ્રાસંગિક અને રસપ્રદ થઈ રહેશે. મૌર્ય રાજાઓએ કુલ ૧૩૭ વર્ષ રાજ્ય કર્યું એ બાબતમાં સર્વ પુરાણે એકમત છે. મૌવંશની સ્થાપના ઈ. સ. પૂર્વે ૩૨૨ ના અરસામાં થઈ હેઈ, એને અંત ઈ. પૂ. ૧૮૫ ના અરસામાં આવ્યું ગણાય, પરંતુ કચ્છ અને સમગ્ર ગુજરાતમf મગધના એ રાજવંશની સત્તા છેવટ સુધી રહી હતી કે ત્યાં બીજા દેઈ રાજવંશની સત્તા પ્રવર્તતી હતી એ બાબતમાં કંઈ ચેકસ માહિતી ઉપલબ્ધ નથી, આમ છતાં ઐતિહાસિક પ્રમાણભૂત પુરાવા અને વિશ્વસનીય કડીઓને આધારે એમ કહી શકાય છે કચ્છ-ગુજરાતમાં મૌર્ય સત્તા પ્રવર્તતી હતી. - ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ, ભાગ ૧-૨'માં શ્રી રત્નમવિરાવ ભી મરાવ જોટે લખે છે કે મિૌર્ય સામ્રાજ્યનું કેંદ્ર ગુજરાતથી હજાર કેશ ઉપર પાટલીપુત્ર (હાલના પટ્ટામાં) હોવા છતાં એની સીમા પશ્ચિમ સમુદ્રને અડતી હતી અને આપણે પ્રાંત મૌર્ય સામ્રાજ્યનો એક ભાગ હો એ તે ગિર‘નારના શિલાલેખથી સિદ્ધ થયેલી વાત છે. આ શિલાલેખ ઈ. સ. પૂર્વે ર૭૪-ર૩૭ ની વચ્ચે છે.. મૌર્ય સામ્રાજ્યના સમયની બીજી વિગત આપણા (ગુજરાત) પ્રાંતને લગતી ખાસ ન મળવા છતાં આ વૈખના સ્થળ અને કૌટિલ્ય - અર્થ શાસ્ત્રમાં સૌરાષ્ટ્ર અને અપરાંતના ઉલલેખથી પણ એટલું તે એક મનાય કે આ વિભાગ આ બાદ હે જોઈએ. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ. પૂ. ૩૨૨-૨૯૮)ના સમયમાં એને સાળા વય પુષ્યગુપ્ત સૌરાષ્ટ્રના સૂબો હતો. એણે સુદર્શન તળાવ ગિરનાર-ઉર્જત પર્વતની તળેટીમાં બંધાવ્યું હતું. મહાક્ષત્રપ રુદ્રદામાના (ઈ સ. ૧૫૦) લેખથી એ પણ સમજાય છે કે ચંદ્રગુપ્ત પછી મૌર્ય વંશને શોભાવનાર અને પુત્ર બિંદુસાર મિત્રન (ઈ. પૂ. ર૯-૨૭૭) ગાદીએ આવ્યા. પછી જગપ્રસિદ્ધ સમ્રાટ અશેક (ઈ. ૫, ૨૭૩-ર૦૭) ગાદીએ આવ્યું. એના સમયમાં સૌરાષ્ટ્રને છે યવનરાજ તુશાસ્પ હતો.” ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ-૨: મૌર્યકાલથી ગુપ્તકાલ'- (સંપાદ થી સિકલાલ છો. પરીખ અને હરિપ્રદ સં. શાસ્ત્રી)માં જોવા મળે છે કે ગિરનારના અભિલેખેથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાત મૌર્ય ચંદ્રગુપ્ત અને એના પૌત્ર અશકની આણમાં હતું. મૌર્યકાલમાં આનસૌરાષ્ટ્રનું શાસન-નગર ક્યાં હશે એને સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ ચંદ્રગુપ્ત આ સ્થળે સદ ન તળાવ કરાવ્યું અને અશોકે એને સુદઢ કરી પ્રનાળી(નહેર)થી અલંકૃત કર્યું એ ઉપરથી અનુમાન કરી શકાય છે કે મૌર્ય યુગપ પણ ગિરિનગર' (જુનાગઢ) ગુજરાતનું અધિષ્ઠાન હતું. સૌથી પ્રબળ પુરાવો એ છે કે અશકે પેતાની ધર્મલિપિઓના જાહેરનામાં માટે આ સ્થળને પસંદ કર્યું.' મગધ(દક્ષિણ બિહાર)ના મૌર્યગ્રામ્રાજ્યનું શાસન સૌરાષ્ટ્ર પર પ્રવર્તેલું એટલું તે અશકના શ્રીલના સ્થાન પરથી તેમજ રુદ્રદામાના શૈલલેખમાં આવતા ગિરિનગરના ઉલ્લેખ પરથી નિશિત કાય છે. આ પરથી એની સમીપમાં આવેલ કરછ તથા તળી–ગુજરાત પ્રદેશ પણ પ્રાય: મગધના મૌર્ય સામ્રાજ્યના શાસન નીચે હેવાનું સ્પષ્ટ થાય છે. અશેકનું શાસન ગુજરાતની પૂર્વે આવેલા જૂન/૧૨ પ્રતિ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32