Book Title: Pathik 1991 Vol 31 Ank 09
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1ઢવાણમાં સત્યાગ્રહીઓને માર પડયો એ જાણી હું બહુ રાજી થયો. ભાઈ ફૂલચંદ અને એને ટુકડી બારડોલી આવી અમને પ્રેમના બંધને બાંધી ગઈ છે. ભાઈ ફૂલચંદ પાછળ આખું ગુજરાત પડયું છે, ફૂલચંદ જેલમાં હોય ત્યારે ગુજરાત શાંત રહી શકે નહિ. એવો પ્રસંગ આવે ત્યારે ગુજરાતમાંથી ગાડીઓ ભરીને સૈનિકે લાવું, એ તે પ્રેમનો ધર્મ છે. ઠાકરસાહેબે કમિટી આપી છે તે દિવસથી જ આપણું જીત થયેથી છે. ૧૨ સરદાર પટેલના આ ભાષણ વઢવાણની પ્રજાનો જુસ્સો વધાર્યો. વળી, પોલીસ અને અમલદારના અમાનુષી અત્યાચારની તપાસ કરવા માટે રાજવે નીમેલ તપાસ સમિતિના કાર્યને રાજ્યના અમલદારો અને ખુદ રાજ્ય તરફથી અસહકાર સાંપડ્યો, રાજયના અમલદારે પિતાનાં કૃત્ય બદલ પ્રાયશ્ચિત કરી રહ્યા છે, માફી માગી રહ્યા છે, એવાં એવા બહાના તળે તપાસ-સમિતિનું કાર્ય કરશે પાડવામાં આવ્યું, પરિણામે પ્રજામાં રાજય, કોમે રોષ વ્યાપક બન્યું. અમલદારી અમાનુષીય નીતિને છાવરવાના રાજ્યના પ્રયાસ સામે પ્રજાકીય સંગઠન સ્થાપી લડત આપવાને વિચાર પ્રજાકીય સેવાઓ પ્રજમાં વહેતો મૂક્યો, જેને પ્રજાએ સહર્ષ વધાવી લીધું હતો. ૧૪ આમ "વઢવાણ પ્રજાપરિષદ’ ભરવાનું નક્કી થતાં એના પ્રસાર-પ્રચારનું કાર્ય કાર્યકરોએ ત્વરિત ઉપાડી લીધું. વઢવાણ બહાર વસતા વઢવાણવાસીઓને પણ આ પરિષદમાં સહકાર મેળવવાના હેતુથી ૬ ઑકટોબરના રોજ અમદાવાદની નવી ગુજરાતી શાળામાં વઢવાણના વતનીઓની એક સભા મળી. આ સભાના પ્રમુખ શ્રી કૃષ્ણશંકર કાલિદાસ શુકલ હતા. સભામાં પરિષદના હેતુ અને ઉદ્દેશે સબંધી ચર્ચા-વિચારણા થઈ. ૧૫ વઢવાણ રાજ્યમાં પણ પરિષદના પ્રચારનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું હતું. પ્રજામાં પરિષદ પ્રત્યે સારી એવી સભાનતા આવી હતી. રાજયના કેટલાક અમલદારોએ પરિષદ થી જોઈતીવાળા લખાણો નીચે પ્રજાની સહીઓ લઈ પરિષદને તેડી નાખવા પ્રયાસો કર્યા, પરંતુ એમને આ કાર્યને પ્રજા તરફથી યોગ્ય પ્રતિસાદ સાંપડયો નહિ તેથી સહી-ખું બે બંધ કરવી પડી. પરિષદના આખરી આયોજન માટે ૩ નવેમ્બર, ૧૯ર૯ના રોજ વઢવાણમાં પરિષદના કાર્યાલય પર સ્વાગત સમિતિની બેઠક મળી, જેમાં વઢવાણ પ્રજા પરિષદ' અંગે નીચે મુજબના નિર્ણય લેવાયા હતા ? ૧. “વઢવાણ પ્રજા પરિષદના સરકાર-પ્રમુખ તરીકે શ્રી. મેહનલાલ પીતાંબર સંઘવીની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી. ૨, “વઢવાણ પ્રજાપરિષદના મંત્રી તરીકે શ્રી. તલકશી દેશી, શ્રી, મણિશંકર ભટ્ટ, શ્રી ફુલચંદ શાહ અને શ્રી. ચિમનલાલ વૈષ્ણવની વરણી કરવામાં આવી. . “વઢવાણુ પ્રજાપરિષદનું પ્રથમ અધિવેશન ૧૪, ૧૫ અને ૧૬ ડિસેમ્બર, ૧૯ર૯ ના રોજ વઢવાણમાં કરવાનું નક્કી થયું. ૪. “વઢવાણ પ્રજાપરિષદના પ્રમુખ માટે શ્રી. પિપટલાલ ચુડગર, શ્રી. મણિલાલ કોઠારી, શ્રી. મણિશંકર રાજારામ, શ્રી. જગજીવન ઉજમશી અને દાક્તર શાહનાં નામે સચવાયાં, પરંતુ પ્રમુખની પસંદગી વઢવાણવાસીઓ માંથી જ થાય એ સ્વાગત-સમિતિના સભ્યોને આગ્રહ હતા, આથી આ નામમાંથી વઢવાણના જ શ્રી. મણિલાલ કોઠારીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. ' આમ પ્રજામાં ઉત્પન્ન થયેલ જાગૃતિના પરિપાક-રૂપે અસ્તિત્વમાં આવેલ વઢવાણ પ્રજા પરિષદ'નું પ્રથમ અધિવેશન વઢવાણની યતિ લાલચંદની ધર્મશાળામાં ૧૪, ૧૫ અને ૧૬ ડિસેમ્બર, ૧૯૨૮ના પથિક જૂન/૧૯૯૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32