Book Title: Parmagam sara
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 233
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮] [ પરમાગમસાર જગતમાં અભવ્ય જીવો છે. ઇત્યાદિ બધી વાત દિવ્યધ્વનિમાં આવે છે. પણ સાંભળનારને તો તે વાણી ધર્મની વૃદ્ધિના પુરુષાર્થનું જ નિમિત્ત છે. વાણી તો ધર્મની વૃદ્ધિનું અને ધર્મની ઉત્પત્તિનું જ નિમિત્ત છે. ભગવાનની વાણી ઝીલીને બાર સભાના પાત્ર જીવો સ્વભાવ તરફ ઝૂકે છે, તેમાં ક્યાંય પુરુષાર્થહીનતાની વાત કાઢે, એવું વાણીનું નિમિત્તપણું નથી. ૭૮૮. સર્વજ્ઞદેવે એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણ્યા છે, ને મારો પણ જાણવાનો સ્વભાવ છે. જે બનવાનું તે ફરવાનું નથી.-પણ જેમ થાય તેમ તેનો જાણનાર જ છું. પરની પર્યાયને તો ફેરવનાર નથી, પણ મારી પર્યાયને પણ ફેરવનાર નથી. આમ પોતાના સ્વભાવ સન્મુખ રહીને ધર્મીનો નિશ્ચય છે. ને જે નહિ બનવાનું તે કદી થવાનું નથી, હું ક્યાય ફેરફાર કરનારો નથી. ૭૮૯. અહો! દિગંબર સંતોનો કોઈ પણ ગ્રંથ લ્યો, તે આત્માને ચૈતન્યસ્વભાવમાં થંભાવી દે છે. ૭૯૦. અહો ! સમ્યગ્દર્શન મહારત્ન છે. શુદ્ધ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ તે જ સર્વ રત્નોમાં મહારત્ન છે. લૌકિક રત્નો તો જડ છે. પણ દેહ ભિન્ન કેવળ શુદ્ધ ચૈતન્યનું ભાન કરીને સમ્યગ્દર્શન પ્રગટે તે જ મહારત્ન છે. ૭૯૧. સ્વર્ગમાં રત્નોનાં ઢગલા મળે તેમાં જીવનું કાંઈ કલ્યાણ નથી. સમ્યગ્દર્શન રત્ન અપૂર્વ કલ્યાણકારી છે. સમ્યગ્દર્શન સર્વ કલ્યાણનું મૂળ છે. તે સમ્યગ્દર્શન વગર જે કરે તે તો બધુંય “રાખ ઉપર લીંપણ” જેવું છે. સમ્યગ્દષ્ટિ જીવ લક્ષ્મી- પુત્ર વગેરે માટે કોઈ શીતળા વગેરેને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293