Book Title: Parmagam sara
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 289
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪ ] [પરમાગમસાર શાસ્ત્રાભ્યાસનો નિષેધ કરે છે. તેને અહીં નિમિત્તથી કથન કરીને શાસ્ત્રનો વિશેષ અભ્યાસ કરવાથી જ્ઞાન નિર્મળ થાય છે. એમ કહેલ છે. જો શાસ્ત્રથી જ્ઞાન થતું હોય તો વધારે શાસ્ત્ર ભણે તો આત્મામાં નિર્મળતા થાય, પણ તેમ નથી. આત્માના આશ્રયે જ્ઞાન વધે છે, તેમાં શાસ્ત્રાભ્યાસ નિમિત્તમાત્ર છે. આત્માનાં આશ્રયે નિર્ણય થાય છે એને શાસ્ત્રનાં અભ્યાસથી નિર્ણય થાય છે એમ નિમિત્તથી કહેલ છે. ૯૮૬. * રોગ તો થોડો અથવા તો ઘણો હોય તો તે ખરાબ જ છે પણ પાંચ ડિગ્રીની અપેક્ષાએ એક ડિગ્રી તાવને સારો કહેવાય છે. તેમ શુદ્ધોપયોગ ન હોય ત્યારે અશુભભાવ છોડીને શુભમાં પ્રવર્તવું યોગ્ય છે. આ વાતના મર્મને ન સમજે તો કાં તો એકલા શુભભાવમાં લાગી જાય અને કાં તો શુભને છોડીને અશુભમાં લાગી જાય છે. પણ શુદ્ધોપયોગ કરવાનો પ્રયાસ કરતો નથી તે મિથ્યાદષ્ટિ છે. વીતરાગમાર્ગ તો અલૌકિક માર્ગ છે. તેને સમજવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ. ૯૮૭. * આત્માનું સ્વરૂપ પરિપૂર્ણ છે એવું અંતરભાન થયું નથી ને પુણ્ય છોડી પાપમાં પ્રવર્તે છે. તથા શાસ્ત્રની ઓથ લઈને કહે છે કે મને પણ સમ્યગ્દષ્ટિની જેમ બંધન નથી. તે નિશ્ચયાભાસી મિથ્યાદષ્ટિ છે. જ્ઞાનીને તો પર્યાયનો વિવેક વર્તે છે. ૯૮૮. * આત્મા આનંદસ્વરૂપ છે ને વિકાર મારું સ્વરૂપ નથી. એમ ભાન થતા આનંદનો અંશ પર્યાયમાં આવ્યો ત્યારે રાગરહિત દશા થઈ તે અનેકાંત છે. ૯૮૯. * જ્ઞાન સ્વભાવ તરફ ઢળે છે, તે સ્વભાવને ઉપાદેય માન્યો, ને રાગની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293