Book Title: Kulak Samucchay
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
શ્રી કુલક સમુચ્ચય तह कम्मवाहिगहिओ, जम्मणमरणाउइन्नबहुदुक्खो । तत्तो निव्विन्नमणो, परमगुरुं तयणु अन्निसइ ।। ३५।। लर्द्धमि गुरुंमि तओ, तव्वयणविसेसकयअणुट्ठाणो । पडिवज्जइ पव्वज्जं, पमायपरिवज्जणविसुद्धं ।। ३६।। नाणाविहतवनिरओ, सुविसुद्धासारभिक्खभोई य । सव्वत्थ अप्पडिबद्धो, सयणाइसु मुक्कवामोहो ।। ३७ ।। माइ गुरुव, अणुट्टमाणो विसुद्धमुणिकिरियं । मुच्चइनीसंदिद्धं, चिरसंचियकम्मवाहिहिं ।। ३८।।
૧૦૬
તે પ્રમાણે કર્મ વ્યાધિથી ઘેરાએલો, જન્મ-મરણથી બહુ દુ:ખી થએલો અને તે દુ :ખોથી (જન્મ-મરણથી) કંટાળેલો જીવ પરમગુરુ જિનેશ્વરદેવ કે તેઓના માર્ગને સમજાવનારા સદ્ગુરુઓ ને શોધે છે. ।।૩૫।।
તેવા ગુરુ પ્રાપ્ત થતાં તેઓના વચનથી સવિશેષ અનુષ્ઠાનો-ધર્મ ક્રિયાઓ કરતો તે પ્રમાદના પરિહાર પૂર્વકની (અપ્રમત્ત) દીક્ષાને સ્વીકારે છે. ।।૩૬।।
તથા વિવિધ પ્રકારનાં તપમાં રક્ત બનેલો તે બેંતાલીશ દોષથી વિશુદ્ધ અને અસાર (નિરસ-વિરસ) ભિક્ષાનું ભોજન કરતો, સર્વત્ર અપ્રતિબદ્ધ-મૂર્છા રહિત તથા સ્વજનાદિમાં પણ મોહ ને છોડનાર થાય છે. ।।૩૭।।
એ પ્રમાણે ગુરુ એ ઉપદેશ કરેલા વિશુદ્ધ સાધુ ક્રિયાને આચરતો મનુષ્ય નિશ્ચે દીર્ઘ કાળથી સંચિત કરેલ કર્મોરુપ વ્યાધિથી નિશ્ચે છૂટી જાય છે-મોક્ષને પામે છે. ।।૩૮।।

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158