Book Title: Jain Dharm Sar Sandesh
Author(s): Kashinath Upadhyay
Publisher: Radha Swami Satsang Byas

View full book text
Previous | Next

Page 341
________________ જૈન ધર્મઃ સાર સંદેશ તેથી તે પરમાત્મા અને આત્માને એક કરનાર સ્વરૂપ કહેવામાં આવ્યું છે. (ભાવાર્થ, આત્મા અને પરમાત્માના આ એકત્વ ભાવમાં દ્વૈત ભાવ દૂર થઈ જાય છે; આત્મા પરમાત્મા બની જાય છે.) 340 જ્યારે આત્મા પરમાત્માના ધ્યાનમાં લીન થાય છે ત્યારે તે એકીકરણની અવસ્થા કહેવામાં આવે છે. એ એકીકરણ(અખંડતા) અનન્યશરણ છે, પરમાત્મા સિવાય અન્ય આશ્રય નથી. ત્યારે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં હોય છે અને તત્સ્વરૂપતાથી તે પરમાત્મા જ હોય છે. આ પ્રમાણે પરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મા થઈ જાય છે.37 જૈનધર્મ અનુસાર બહિરાત્માને પરમાત્મા બનાવવો જ પરમાર્થી સાધનાનું લક્ષ્ય છે. જે આત્મા પહેલાં શરીરાદિ બાહ્ય પદાર્થોમાં અપનત્વ-ભાવ (પોતાપણાનો ભાવ) રાખવાના કારણે બહિરાત્મા બનેલો રહે છે, તેને બાહ્ય વિષયોથી હટાવીને આત્મિક ધ્યાનમાં લગાવવામાં આવે છે. આ અંતર્મુખી સાધનાથી તે અંતરાત્મા બની જાય છે. પછી અંતરાત્મા પરમાત્માના ધ્યાનમાં લીન થવાના અભ્યાસ દ્વારા પરમાત્મા બની જાય છે. એટલા માટે જૈન ગ્રંથોમાં વારંવાર બહિરાત્મ-ભાવને છોડીને અંતરાત્મ-ભાવમાં દૃઢતાથી સ્થિત થઈ અને પછી અંતરાત્માને પરમાત્માના ધ્યાનમાં લીન કરીને તેને પરમાત્મા બનાવવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ઉદાહરણ માટે જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ ત્યકત્વેવં બહિરાત્માનમન્તરાત્મવ્યવસ્થિતઃ । ભાવયેત્ પરમાત્માનં સર્વસંકલ્પવર્જિતમ્ ।। આ પ્રમાણે આત્માના ત્રણેય ભેદોને જાણીને બહિરાત્માપણાને છોડવું જોઈએ અને પોતાના અંતરાત્મામાં અવસ્થિત થઈને સર્વસંકલ્પ-વિકલ્પોથી રહિત પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ.38 હઢાલામાં પણ આ વાતની પુષ્ટિ આ શબ્દોમાં કરવામાં આવી છે. બહિરાતમતા હેય જાનિ જિ, અન્તર આતમ હૂજે; પરમાતમ કો ધ્યાય નિરન્તર જો નિત આનન્દ પૂજે 119

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402