Book Title: Jain Dharm Sar Sandesh
Author(s): Kashinath Upadhyay
Publisher: Radha Swami Satsang Byas

View full book text
Previous | Next

Page 389
________________ 388 જૈન ધર્મ સાર સંદેશ જિનસેન, આચાર્યઃ આચાર્ય જિનસેન એક સિદ્ધાંતણની સાથે સાથ-સાથ ઉચ્ચ કોટિના કવિ હતા. તેમણે પાર્વાક્યુદય કાવ્યની રચના કરી જે સંસ્કૃત સાહિત્યની એક અનુપમ અને ઉત્કૃષ્ટ રચનાઓમાં ગણવામાં આવે છે. આચાર્ય જિનસેન, વીરસેન સ્વામીના શિષ્ય હતા. તેમની અન્ય રચનાઓમાં આદિપુરાણ, વર્ધમાનપુરાણ અને જયધવલા ટીકા પ્રમુખ છે. જૈન, નાથુરામ ડોંગરીયઃ પંડિત શ્રી નાથુરામજી ઇંદોર નગરીના પ્રખ્યાત વિદ્વાન છે. તેમણે જૈન-ધર્મ નામક ગ્રંથની રચના કરી. તેમના પૂર્વજ મધ્યપ્રદેશના ડોંગરા ગામના રહેવાવાળા હતા જેનાથી તેઓ ડોંગરીય ઉપનામથી પ્રસિદ્ધ છે. તેમણે ભગવાન કુન્દકુન્દ્રાચાર્ય દ્વારા બે હજાર . વર્ષ પૂર્વ રચિત એક અપૂર્વ આધ્યાત્મિક કૃતિ સમયસાર જોકે પ્રાકૃત ભાષામાં હતી, ને આધુનિક રાષ્ટ્રીય ભાષા હિન્દીના પદ્યમાં નિર્માણ કરી સમયસાર વૈભવના નામથી પ્રસ્તુત કર્યા છે. જૈન, હીરાલાલ ડૉ. હીરાલાલ જેન, જૈન સાહિત્યના મર્મજ્ઞ વિદ્વાન, અધ્યેતા અને અધ્યાપક હતા. તેમણે ભગવાન મહાવીરના વચનો પર આધારિત અત્યંત પ્રાચીન અને પ્રામાણિક ગાથાઓના સંકલન કર્યુ જેને જિનવાણીના નામથી જાણવામાં આવે છે. ડૉ. હીરાલાલજી ભારતીય જ્ઞાનપીઠના સંચાલક મંડલમાં હતા અને મૂર્તિદેવી ગ્રંથમાલાના સંપાદક પણ રહ્યા. ટોડરમલ, પંડિતઃ પંડિત શ્રી ટોડરમલજી જૈન વિદ્વાનોમાં મહાન પ્રતિભાશાળી માનવામાં આવે છે. એક ગંભીર પ્રકૃતિના મહાપુરુષ હતા. સ્વાભાવિક કોમળતા, સદાચારિતા, જન્મજાત વિદ્વત્તાના કારણે ગૃહસ્થ થઈને પણ આચાર્યકલ્પ' કહેવડાવવાનું સૌભાગ્ય તેમને જ પ્રાપ્ત છે. પંડિતજી એ પ્રાચીન જૈન ગ્રંથોની વિસ્તૃત, ગહન પરંતુ સુબોધ ભાષા-ટીકાઓ લખી. પંડિત ટોડરમલજીની રચનાઓમાં સાત તો ટીકા ગ્રંથ છે અને પાંચ મૌલિક રચનાઓ છે. મોક્ષમાર્ગ પ્રકાશક પંડિત ટોડરમલજીનું મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથના આધાર કોઈ એક ગ્રંથ ન થઈ સંપૂર્ણ જૈન સાહિત્ય છે.

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402