Book Title: Gruhastha Dharm
Author(s): Vijaykesharsuri
Publisher: Vijaykeshar Chandrasuri Foundation Girivihar Trust

View full book text
Previous | Next

Page 188
________________ સ્ત્રીઓનો પતિ પ્રત્યે ધર્મ [ ૧૭૧ ] કરવાના કામ બીજાને સોંપવા નહીં જે સ્ત્રી પતિ સેવાના કામ બીજાને સોંપે છે તે સ્ત્રી પોતા ઉપર પોતાના પતિનો પૂર્ણ પ્રેમ મેળવી શકતી નથી. નોકરનું કામ નોકર કરે છે. ભલે તેઓ ઘરની માલિક સ્ત્રીથી વધારે કામ કરે પણ પ્રેમ અને નોકરી સરખી હોતી જ નથી. જેવી પોતાની પતિ પ્રત્યેની લાગણી હોય છે તેટલો જ પ્રેમ તે સ્ત્રી પોતાના પતિ તરફથી મેળવી શકે છે. દુઃખ કે વિપત્તિના પ્રસંગમાં સ્ત્રીએ પતિનો કદી પણ ત્યાગ ન કરવો. ખરી કસોટીનો તેજ વખત છે આવા પ્રસંગે સ્વાર્થી બની સ્ત્રી પોતાના સુખ માટે પતિને મૂકી પીયર કે બીજે સ્થળે જુદી રહે છે. તો તે સ્ત્રી પોતાના પતિનો પ્રેમ મેળવી શકતી જ નથી. રોગના પ્રસંગે સ્ત્રીએ જાતે જ પતિની સેવા કરવી. કોઇ બીજી સ્ત્રીને તેની સેવાના સમાગમમાં, રોગી પતિની માવજત કરવા દેવામાં પોતાની છતી શક્તિએ દાખલ થવા ન દેવી. નહિતર તે સ્રીના સૌભાગ્યમાં વિભાગ પાડ્યા વિના ભાગ્યે જ રહે છે. ખરી રીતે વિપત્તિ કે દુઃખના પ્રસંગે મદદ કરનાર તરફ દીલ ખેંચાયા સિવાય રહેતું નથી, અને ખરા અણીના પ્રસંગે મદદ ન કરનાર તરફ દીલ તૂટ્યા સિવાય પણ રહેતું નથી. દિલગીરીના વખતમાં પોતાના ડહાપણનો ઉપયોગ કરી પતિને દિલાસો આપવો. ખોટા ખર્ચામાં પતિને ઉતારવો નહિ, ઘરની, નોકરચાકરની, પશુઓની, સ્ત્રીએ જાતે દેખરેખ અને સાર સંભાળ કરવી. પતિના સૂતા પછી સૂવું અને ઉઠતાં પહેલાં ઉઠવું. પતિના મિત્રોની હૈયાતીમાં સારી સારસંભાળ કરવી, પતિ બહાર જવા પછી તેની સાથે ઠઠ્ઠા મશ્કરી કદી પણ ન કરવાં, તેમ કરતાં તેનું પરિણામ પોતાના ગેરલાભમાં શોકદાયક આવે છે. વાસનાને કાબૂમાં રાખવી. શરીર સાચવતા શીખવું. શરીરની

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220