Book Title: Bahenshree no Gyanvaibhav
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનો જ્ઞાનવૈભવ સ્વાત્માનુભૂતિ-સમન્વિત આત્મસાક્ષાત્કાર-નિર્વિકલ્પ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરેલ છે એવાં પ્રશમમૂર્તિ ધન્યાવતાર ધર્મરત્ન પૂજ્ય બહેનશ્રી ચંપાબેને પણ આવા પરમ- તારણહાર પૂજ્ય ગુરુદેવનો લોકોત્તર આધ્યાત્મિક મહિમા પ્રકાશીને ખરેખર મુમુક્ષુજગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. સ્વાનુભવમૂર્તિ પૂજ્ય બહેનશ્રી પણ, પૂજ્ય કહાનગુરુદેવના ઉપકારતળે, આત્માનુભૂતિનો સાચો માર્ગ બતાવનાર ખરેખર એક મહાન આત્મા છે. તેમનું પવિત્ર જીવન અને અધ્યાત્મસાધના આત્માર્થી જીવો માટે ખરેખર એક અનુપમ આદર્શ છે. પૂજ્ય ગુરુદેવ દ્વારા પૂર્ણ પ્રમાણિત એવાં આ પવિત્રાત્મા પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના સાધનામય લોકોત્તર જીવનમાંથી, આત્માર્થી જીવોને આત્મલાભ થાય એ હેતુએ, અત્રે આ પુસ્તકમાં (૧) સંક્ષિપ્ત જીવનપરિચય, (૨) જાતિસ્મરણજ્ઞાન, (૩) ગુરુદેવના હૃદયોગાર અને (૪) અધ્યાત્મ-અમૃતસરિતાએ ચારનું સંકલન કરવામાં આવ્યું છે. સંક્ષિપ્ત જીવનપરિચય, અનુભવીની અમૃતવાણી, પત્રવ્યવહાર, ગુરુદેવના હૃદયોદ્ગાર, વીણેલી વિગત, મીઠાં સંભારણાં વગેરે, પૂજ્ય બહેનશ્રીના જીવનને લગતા, અનેક વિષયોનું તેમના “અમૃત-જન્મોત્સવ” અવસરે પ્રકાશિત થયેલ “બહેનશ્રી ચંપાબેન અભિનંદનગ્રંથ' માં સંકલન થયેલ છે. જેમને તે જાણવાની ભાવના હોય તેમને તે ગ્રંથ વાંચવાની ભલામણ છે. (૧) સંક્ષિપ્ત જીવનપરિચયઃ સ્વાનુભવવિભૂષિત Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 166