Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ નહોતું આપતું. આથી તેને લોકો પર ગુસ્સો આવ્યો કે આ નગરના લોકો કેટલા ખરાબ અને પાપી છે. કોઈ મને એક રોટલી પણ ખાવા નથી આપતું. આર્તધ્યાનને વશ તેણે લોકોને મારી નાંખવાનું વિચાર્યું. એક દિવસ નગરની બહાર પર્વતની તળેટીમાં આવેલ ઉધાનમાં મહોત્સવ હતો. લોકો ત્યાં ગયા. તે વખતે પેલા ભિખારીએ વિચાર્યું કે ખરો મોકો છે. બધાને પતાવી દઉં. આમ વિચારીને તે પહાડ પર ચઢ્યો અને ઉપરથી એક મોટી શિલા ગબડાવવાના પ્રયત્નમાં લાગી ગયો. પરંતુ શિલા ખસેડવાના ચક્કરમાં તે જ તેના નીચે આવીને મરી ગયો. આ ઉદાહરણ આપીને કહે છે કે જેઓ સ્વઉદર પૂર્તિ માટે જરાપણ પ્રયત્ન નથી કરતો. અને માત્ર બીજાના સહારે જીવન જીવે છે. છેવટે ફેકેલા અન્નને પણ વીણીને ખાય છે તેવા લોકો પોતાને સારા અને જગતને પાપી માની આત્મસમાધિનો નાશ કરનારા હોય છે. અને તેઓને દુર્ગતિગામી કહેલા છે. आईणमहाभद्द- आजिनमहाभद्र (पुं.) (આજિન નામક દ્વીપના અધિષ્ઠાયક દેવવિશેષ) आईणमहावर - आजिनमहावर (पुं.) (આજિન અને આજિનવર સમુદ્રના અધિષ્ઠાયક દેવ) ગાળવર - માનિનવર (પુ.) (1. દ્વીપવિશેષ 2. સમુદ્રવિશેષ 3, આજિન અને આજિનવર સમુદ્રના અધિષ્ઠાયક દેવ) आईणवरभद्र -- आजिनवरभद्र (पुं.) (આજિનવર નામક દ્વીપના અધિષ્ઠાયક દેવ) आईणवरमहाभद्द - आजिनवरमहाभद्र (पु.) (આજિનવર નામક દ્વીપના અધિષ્ઠાયક દેવ) आईणवरोभास - आजिनवरावभास (पु.) (1. દ્વીપવિશેષ 2. સમુદ્રવિશેષ) आईणवरोभासभद्द - आजिनवरावभासभद्र (पु.) (આજિનવરાવભાસ નામક દ્વીપના અધિષ્ઠાયક દેવ) आईणवरोवभासमहाभद्द - आजिनवरावभासमहाभद्र (पुं.) (આજિનવરાવભાસ નામક દ્વીપના અધિષ્ઠાયક દેવ) आईणवरोभासमहावर - आजिनवरावभासमहावर (पुं.) (આજિનવરાવભાસ નામક સમુદ્રના અધિષ્ઠાયક દેવ) आईणवरोभासवस - आजिनवरावभासवर (पं.) (આજિનવરાવભાસ નામક સમુદ્રના અધિષ્ઠાયક દેવ) માઈ (ર) લિત્તિ - અનિવૃત્તિ (.) (અત્યંત દીનવૃત્તિવાળો, ભિક્ષુક, માંગણ). ઉપમિતિ ભવપ્રપંચા કથાની અંદર સિદ્ધર્ષિ ગણિ મહારાજે સંસારી જીવને નિપુણ્યક નામક ભિખારીની ઉપમા આપેલી છે. જે અત્યંત દીનવૃત્તિવાળો, શરીરે ચારે બાજુથી રોગોથી ઘેરાયેલો, વાસી ભોજન ખાનારો અને ઘરે ઘરે તિરસ્કાર પામતો હતો. તે જીવને ઠીકરામાં કોઈ એક દિવસની વાસી રોટલી આપી દે તો પણ પોતાને જાણે ઈન્દ્રનું સામ્રાજ્ય મળ્યું હોય તેમ ખુશ થતો હતો. તે જગત આખાને પાપી ગણતો અને જાણે કોઇ તેના ઠીકરામાંથી અનાજ લઈ લેશે એવી શંકાથી દરેકને જોતો હતો. મારું (રિ) fણય - મનિજ (ઈ.) (અત્યંત દીનતાવાળુ, અત્યંત દયનીય) -223