Book Title: Tirthankaroni Prashnatrayi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamalmohan Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 275
________________ [ ૧૦ ] સુંદર બનાવ્યું છે. ત્રણ છત્રને ભાગ અતિસ્પષ્ટ અને પદ્ધતિસરને બનાવ્યું છે. છત્રની નીચે જ શિલ્પશાસ્ત્રના નિયમાનુસાર કમળના બે દંડ દેખાડ્યા છે. મૂર્તિને ફરતા બે બાજુ ચામર ઢાળતા ઈન્દ્રો અને તેની ઉપર પુષ્પના હાર લઈને ઊભા રહેલા બે દેવે છે. તેની ઉપર મેરુપર્વત ઉપર જન્મકલ્યાણક ઉજવવા એટલે ભગવાનને જળને અભિષેક કરવા માટે સૂંઢમાં કળશ પકડીને જઈ રહેલા બે હાથીએ બતાવ્યા છે. તેની ઉપર વચમાં ઈન્દ્રને ઊભડક પગે બેઠેલા, બાકીના બે દેવે જન્માભિષેકને ઉત્સવ ઉજવવા જઈ રહેલા બતાવ્યા છે. ચોવીશી કેવી રીતે ગોઠવી છે? તે હવે જોઈએ ફરતું જે પરિકર છે તે પરિકરમાં પાંચ મૂતિઓમાંથી ત્રિમૂર્તિ –ત્રણના જોડલે અને બે-ચારના જોડલે મૂકી છે. આમાં પહેલી ત્રણ મૂર્તિએ માથે કેન્દ્રમાં વચ્ચે જ છે. બીજી ત્રણ ત્રણ મૂતિઓના બે જેટલા ઉપરના ભાગે જમણ–ડાબી બાજુએ છે. ભગવાનની પલાંઠીની બંને બાજુએ એક મૂર્તિ વધારીને ચાર મૂર્તિના બે જેડલા છે, એટલે પાંચ જોડલાની ૧૭ મૂર્તિઓ થઈ. હવે ઉપરના જોડલાની બંને બાજુએ એક એક મૂર્તિ, (૧+=૧૯) પછી મૂલનાયકના બંને બાવડાની પેરેલલ લાઈનમાં બંને બાજુએ જિનમુદ્રાએ એટલે કે કાઉસ્સગ ધ્યાને ફણાવાળા ભગવાન શ્રી પાર્શ્વનાથ અને સાતમા ભગવાન શ્રી સુપાર્શ્વનાથ બતાવ્યા લાગે છે એટલે ૧+૨=૨૧ અને

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286