Book Title: Pradyumna Charitra
Author(s): Ratnachandragani, Charitravijay, Ashokchandrasuri
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 359
________________ - - ૩૫૦ છું. જે નગરમાં જતાં મને કોઈ અડચણ આવશે તો હું સિંહનાદ કરીશ. તમારે તે વખતે મારી પાસે સત્વર હાજર થવું.” આ પ્રમાણે સંકેત કરી બલદેવ હસ્તિનાપુરમાં ગયા. દેવ સ્વરૂપી બલદેવને જોઈ “આ કેણ હશે? એમ લેકે કહેવા લાગ્યા. મહાશય બલદેવે પિતાની આંગળીમાંથી મુદ્રિકા કાઢી તે વડે કંદોઈ પાસેથી જાતજાતનાં ખાજા લીધાં અને કડાને બદલે કલાલની દુકાનેથી મદિરા લીધી. તે લઈને બલદેવ જતા હતા, ત્યાં કેઈ રાજપુરૂષના જોવામાં આવ્યા. “આ બલદેવ છે,” એમ ઓળખી તેણે સત્વર જઈને રાજાને જણાવ્યું. ધૃતરાષ્ટ્રના પુત્ર અછરદન નામે ત્યાં રાજા હતા. તે બલદેવને ખબર સાંભળી પૂર્વનું વૈર સંભારી બલવાહન સહિત તેના ઉપર ચડી આવ્યા. તે વખતે રાજાની આજ્ઞાથી દરવાજાના અધ્યક્ષે અર્ગલા સહિત કમાડ બંધ કર્યા, જેથી વચ્ચે આવેલ બલદેવ શક્તિવાન છતાં બહાર નીકળી શકે નહીં. આ જોઈ મહામતિ બલદેવ સાથે લીધેલા ભોજનપાન નીચે મૂકી હસ્તિને ખીલે ઉખેડી અચ્છરદન રાજાની સામે દેડ્યા અને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતી વખતે બલદેવે સિંહના શબ્દ જે સિંહનાદ કર્યો, જે સાંભળી કૃષ્ણ દરવાજાના કમાડ તેડી અર્ગલા સહિત નગરમાં પેઠા. તેણે હાથમાં તે પરિઘ લી. પછી બંને મહાબાહૂ ભાઈ તે વડે શત્રુના સૈન્યને મારવા લાગ્યા. છેવટે કૃષ્ણ અચ્છરદનને એટલે પકડીને વશ કરી કહ્યું, “અરે પાપી, તે આવું સાહસ કેમ કર્યું? તું એમ સમજે છે કે, અમારૂં બધું ગયું છે? પણ અમારી ભુજાનું

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386