Book Title: Mantra Vigyan Ane Sadhna Rahasya
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 292
________________ વિદ્યાનો પ્રભાવ ર૭૮ મુનિએ કહેલા વચને યાદ આવ્યાં અને કેઈની લાચારી કરવાની છેડીને તેણે નમસ્કારમંત્રનું ધ્યાન કરવા માંડયું. તે નમસ્કારમંત્રના ધ્યાનમાં એ તલ્લીન બની ગયા કે બાહા જગતનું તેને ભાન જ રહ્યું નહિ. સામે મૃત્યુ ઊભું છે. અગ્નિને કુંડ પ્રજજવલિત થયેલ છે. બ્રાહ્મણો વેદમંત્રે ભણી રહ્યા છે. આવી ભયંકર પરિસ્થિતિ હોવા છતાં અમરકુમાર તે નમસ્કારમંત્ર પર વિશ્વાસ રાખીને તેને સમર્પિત થઈ ગયે, અને તેના ધ્યાનમાં તાકાર બની ગયે. આજે માનની ફરિયાદ છે કે મન સ્થિર થતું નથી તેનું કારણ તેમની શ્રદ્ધા અટલ હતી નથી અને તેથી તેઓ સમર્પણ પણ કરી શક્તા નથી. ખરું કારણ એ છે કે તેઓ સત્વહીન બની ગયા છે. જ્યારે અમરકુમારમાં કેટલું સત્ત્વ છે કે આવી ભયંકર મૃત્યુ સમ પરિસ્થિતિના સમયે પણ તે નમસ્કારમંત્રમાં તદાકાર બની ગયેલ છે. તાકાત વિના કઈ કાર્ય સિદ્ધ થતું નથી. સાહસ, સત્ત્વશીલતા વગેરે વિના માનવ કાર્ય સિદ્ધ કરી શકતું નથી. નિવાર્ય માનવી ધર્મ કરવાને શું લાયક છે ખરો? નહિ જ, અસ્તુ. જે તદાકાર થઈને મંત્ર જાપ કરે તેને મંત્ર કે ધ્યાન જરૂર સફળ થાય જ છે, એ નિર્વિવાદ સત્ય છે. અમર કુમારના ધ્યાનના પ્રભાવે શાસનદેવતાઓના આસન કંપાયમાન થયા અને તેમણે અવધિજ્ઞાનને ઉપગ મૂકીને જોયું તે ધર્માત્મા ઉપર સંકટ આવેલ છે તે જાણ્યું. તરત જ તેઓ તેની સહાયતા કરવા આવ્યા. જ્યાં માનવમેદની મળી હતી ત્યાં અદશ્ય રૂપે આવીને સમગ્ર માનવ અને વેદમને ભણવાવાળા

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322