SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાનો પ્રભાવ ર૭૮ મુનિએ કહેલા વચને યાદ આવ્યાં અને કેઈની લાચારી કરવાની છેડીને તેણે નમસ્કારમંત્રનું ધ્યાન કરવા માંડયું. તે નમસ્કારમંત્રના ધ્યાનમાં એ તલ્લીન બની ગયા કે બાહા જગતનું તેને ભાન જ રહ્યું નહિ. સામે મૃત્યુ ઊભું છે. અગ્નિને કુંડ પ્રજજવલિત થયેલ છે. બ્રાહ્મણો વેદમંત્રે ભણી રહ્યા છે. આવી ભયંકર પરિસ્થિતિ હોવા છતાં અમરકુમાર તે નમસ્કારમંત્ર પર વિશ્વાસ રાખીને તેને સમર્પિત થઈ ગયે, અને તેના ધ્યાનમાં તાકાર બની ગયે. આજે માનની ફરિયાદ છે કે મન સ્થિર થતું નથી તેનું કારણ તેમની શ્રદ્ધા અટલ હતી નથી અને તેથી તેઓ સમર્પણ પણ કરી શક્તા નથી. ખરું કારણ એ છે કે તેઓ સત્વહીન બની ગયા છે. જ્યારે અમરકુમારમાં કેટલું સત્ત્વ છે કે આવી ભયંકર મૃત્યુ સમ પરિસ્થિતિના સમયે પણ તે નમસ્કારમંત્રમાં તદાકાર બની ગયેલ છે. તાકાત વિના કઈ કાર્ય સિદ્ધ થતું નથી. સાહસ, સત્ત્વશીલતા વગેરે વિના માનવ કાર્ય સિદ્ધ કરી શકતું નથી. નિવાર્ય માનવી ધર્મ કરવાને શું લાયક છે ખરો? નહિ જ, અસ્તુ. જે તદાકાર થઈને મંત્ર જાપ કરે તેને મંત્ર કે ધ્યાન જરૂર સફળ થાય જ છે, એ નિર્વિવાદ સત્ય છે. અમર કુમારના ધ્યાનના પ્રભાવે શાસનદેવતાઓના આસન કંપાયમાન થયા અને તેમણે અવધિજ્ઞાનને ઉપગ મૂકીને જોયું તે ધર્માત્મા ઉપર સંકટ આવેલ છે તે જાણ્યું. તરત જ તેઓ તેની સહાયતા કરવા આવ્યા. જ્યાં માનવમેદની મળી હતી ત્યાં અદશ્ય રૂપે આવીને સમગ્ર માનવ અને વેદમને ભણવાવાળા
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy