________________
મહાવીર સાથે આત્માને લાગવગ. ગીય લાગવગથી જેમ બને તેમ જલદીથી મેળવવા જોઈએ. કાંઈ પણ શંકા વગર મહાવીરમાં શ્રદ્ધાવાન થઈ જે પ્રશ્ન ઉદભવે તેને જવાબ મેળવવું જોઈએ. મહાવીરની ભકિતથી તમારી સાંસારિક ઈચ્છાઓ કદી પરિપૂર્ણ નહિ થાય; પરંતુ તમારું આત્મિક શ્રેય તો અવશ્ય થયા વગર રહેશે નહિ. દરેક અચાનક પ્રસંગમાં અને દરેક જાગૃતિના કાર્ય તથા પ્રયત્નમાં મહાવીરપણું માટે તીવ્ર પ્રાર્થના કરો. જેના વગર તમારાથી કંઈજ થઈ શકશે નહિ અને જેની તમને કાંઈ પણ અશકય જેવું જણાશે નહિ.
- ઉપરના સિદ્ધાંતથી મહાવીરની ભક્તિની આવશ્યકતા જણાય છે તેમ પ્રપન્ન કરવાના ઉત્સાહ માટે તેની એપછી સૂચના નથી. કરણકે જ્યારે આપણી કુદરતી શક્તિ તેની મર્યાદા સુધી પહોંચી જાય છે ત્યારે આપણું ઉત્સાહને આધાર મહાવીર છે. તેની આંતરિક મદદની શક્તિથી કઈ પણ મનુષ્યને આમિક સુધારણામાં નિ રાશ થવું પડશે નહિ. તેને અનંત માર્ગ આપણા હાથમાં આવવા પછી ગમે તેવી પવિત્રતા મેળવવી આપણી મર્યાદાથી દૂર નથી. માત્ર માનષિક નિશ્ચયના બળથી આત્મિક સુધારણ કરવાના પ્રયત્ન સફળ થતા નથી. પરંતુ પશ્ચાતાપ કરીને મહાવીરની શક્તિવાળા પ્રયત્ન ગુમાવેલી પવિત્રતા અને સુખ મેળવવામાં નિષ્ફળ જતા નથી કારણ કે જે છુપિ શક્તિ આપણું આત્માને જાગૃત કરે છે તે જ સુધારણામાં મદદ કરે છે ત્યારે ફતેહ તે માટે શંકા કેવી રીતે હોઈ શકે ? મનુષ્ય જે કરેલું ને સુધારવાનું કામ માણસથી બની શકે છે પરંતુ આત્મા એ કુદરતની દૈવિક કૃતિ છે, ઘણું જ ઉમેદી અને કમળ વસ્તુ છે, ઘણી પવિત્ર છે તેમજ પાપ કર્મની સંગતથી ઘણું જ અવ્યવસ્થિત થઈ ગએલી છે તે સુધારવાનું કામ પણ કઈ અપૂર્વ શકિતનું જ હોઈ શકે છે. વળી ફરી અનંત શકિત કે દૈવિક કળાથી જ આત્માની જાગૃતિનું કાર્ય થાય છે એમ નથી પરંતુ તે આત્માએ પણ ઘણીજ તીવ્ર આશાથી તે કાર્યમાં મહેનત કરવી પડે છે. અને જ્યારે એમ ખાત્રી થાય કે જે મહાન શક્તિ આત્માને અનાદિકાળના કર્મથી મુકત કરે છે તે આત્માનું બંધારણ કરનાર શક્તિ જ આપણી મદદમાં છે ત્યારે તે ફતેહની દઢ ખાત્રીથી આપછે મુકિતને માટે મહાવીરને હૃદયમાં રાખીને પ્રયત્ન કરે જોઈએ