________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૫૧) ૮૯ પ્ર. સમ્યકત્વ (શ્રદ્ધા) ગુણ કોને કહે છે?
ઉ. જે ગુણની નિર્મળદશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ (યથાર્થ પ્રતીત) થાય. ૧ સાચા દેવ-ગુરુ-ધર્મમાં દઢ પ્રતીતિ, ૨ જીવાદિ સાત તત્ત્વોની સાચી પ્રતીતિ, ૩ સ્વ-પરનું શ્રદ્ધાન, ૪ આત્મશ્રદ્ધાન, -આ લક્ષણોના અવિનાભાવ સહિત જે શ્રદ્ધાન થાય છે તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. (તે પર્યાયનો ધારક સમ્યકત્વ (શ્રદ્ધા) ગુણ છે, સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન તેની પર્યાયો છે. ) ૯૦ પ્ર. જૈન કોને કહે છે?
ઉ. નિજ શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયથી મિથ્યાત્વ, રાગદ્વેષાદિને જીતનારી નિર્મળ પરિણતિ જેણે પ્રગટ કરી છે તે જ જૈન છે. મિથ્યાત્વના નાશપૂર્વક જેટલા અંશે જે રાગાદિનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com