Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૭૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
ભગવાન શાન્તિનાથના નામસ્મરણ વિષે પણ આ જ ઉદાહરણ લાગુ પડે છે. શક્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાન શાન્તિનાથનું નામ એક સાધન છે; પણ આ સાધનને ઉપગ યોગ્ય રીતિએ કરવો જોઈએ. જ્યારે સાયકલ ચલાવવામાં પણ બરાબર ખ્યાલ રાખવાની જરૂર રહે છે તે પછી ભગવાનના નામમાં ખ્યાલ રાખવાની જરૂર ન હોય ? ભગવાન શાન્તિનાથનું નામ મંગલમય અને શાન્તિ આપનારું છે; પણ જે નામસ્મરણ બરાબર રીતિએ કરવામાં આવે છે. જે કાઈ પરમાત્માનું નામસ્મરણ ચગ્ય રીતિએ કરે છે તેને શાન્તિ અને મંગલતાની પ્રાપ્તિ થાય જ છે.
એક કબુતરની રક્ષા માટે પિતાના શરીરનું બલિદાન આપવાને સમય મેઘરથ રાજા માટે માંગલિક હતું કે અમાંગલિક કઈ સાધારણ રાજા હોય તે જુદી વાત હતી. પણ મેઘરથ રાજા તે પ્રજાને સુખ આપનાર અને વ્યાયનિપુણ રાજા હતે. ધર્મને તે સેવક હતે. છતાં એક કબુતરને માટે રાજાના શરીરનું બલિદાન આપવું પડે! તે વખતે રાણી, પ્રધાન અને પ્રજા વગેરે લેકે દુઃખી થઈ રહ્યા હતા. પ્રધાને રાજાને અનેક રીતે સમજાવ્યા અને વિનવ્યા કે, અલ્પને માટે મહાનની હાનિ કરવી એમાં શું બુદ્ધિમતા છે? એમ કરવું એ તે મૂર્ખતા છે. આ એક કબુતરને માટે આપ શરીરનો ભોગ ન આપે. આપના જે શરીરથી પ્રજાનું પાલન થાય છે તે આ પ્રમાણે નષ્ટ થઈ જાય એમ અમે ચાહતા નથી. આ પ્રમાણે પ્રધાનએ રાજાને ઘણું સમજાવ્યા પણ રાજા વાણિ ન હતો કે એમ માની જાય. તેણે પ્રધાને કહ્યું કે, “હે! પ્રધાને! અ૮૫ માટે મહાને ત્યાગ કરતા નથી પણ મહાનને માટે છેડે ત્યાગ કરું છું. તમે સમજો છો કે, હું કબુતરની રક્ષા માટે શરીર આપું છું પણ વાસ્તવમાં હું ધર્મને માટે શરીરનું બલિદાન આપી રહ્યો છું. તમે એ તે સારી રીતે જાણે જ છે કે, આ શરીર નાશવાન છે તે પછી એ નાશવાન શરીરનું પિતાના હાથે જ દાન કરી દેવું શું ખોટું છે?” - આ પ્રમાણે અપૂર્વ ત્યાગ કરનાર જ તીર્થકર કે મહાપુરુષ થાય છે. આ ઉદાહરણ ઉપરથી તમે એ જુઓ કે તમે શાન્તિનાથ ભગવાનને જપો છો કે તેમના નામની ખરીદી કરે છે ! “જે મારું માથું દુખવું બંધ થઈ જાય તે હું શાન્તિનાથ ભગવાનની શક્તિ જાણું – આ પ્રમાણે કહેવું એ ભગવાનનું નામસ્મરણ નથી પરંતુ તેમના નામની ખરીદી છે. શાન્તિનાથ ભગવાનનું નામસ્મરણ સાચું છે તે છે કે, જ્યારે ભગવાનને માટે તન, ધન અને પ્રાણ સમર્પિત કરી દેવામાં આવે. અર્થાત્ તન, ધન અને પ્રાણનો મેહ છોડી દેવામાં આવે. જો કે તમારાથી મેહ એકદમ છૂટે મુશ્કેલ છે, પરંતુ ધીરે ધીરે મેહને છોડતા જાઓ અને આગળ વધતા જાઓ તે શાન્તિનાથ ભગવાનને જાણી શકશે. સાચું નામસ્મરણ કરતાં જે માથે કષ્ટ પડે તે પણ એમ માનો કે, એ કષ્ટ નથી પડતાં પણ મહાન કર્મોની નિર્જરા થઈ રહી છે. એમ થવું ન જોઈએ કે, ઉપવાસ કરે અને ભૂખ લાગે ત્યારે ખાઈ લે. આ જ પ્રમાણે નામ તે જ અને ધર્મ પણ કરે, પરંતુ માથે કષ્ટ પડે ત્યારે નામ જવાનું અને ધર્મ કરવાનું છેડી દે. પરમાત્માનું નામ જપતાં કષ્ટ પડે તે એમ વિચારે કે, એ કષ્ટ મને ઉન્નતિના માર્ગે લઈ જાય છે. જે આત્મા કષ્ટોને પણ મંગળ બનાવી લે અને એમ વિચારે કે, આત્મા મંગલમય છે તે કષ્ટ તેને કષ્ટરૂપ જણાય જ નહિ. આ પ્રમાણે જે યોગ્ય રીતિએ પરમાત્માનું નામસ્મરણ કરે છે તેને અમંગલ કે અશાન્તિ થતી જ