________________
પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ મહત્ત્વ નથી-એવી બધી પ્રરૂપણા કરીએ તો આપણે ઉન્માર્ગની
સ્થાપના કે તેને પોષણ માટેના મહાપાપના ભાગીદાર ગણાઈએ. આપણે વિકટ માર્ગ ગ્રહણ ન કરી શકીએ તો તે માટેની આપણી અસહાયતા સ્વીકારી લેવામાં સચ્ચાઈ છે પણ ચારિત્રની વ્યર્થતા બતાવનાર તો મહાદોષનું સેવન કરે છે. આ યુગમાં આ વાતનો ખ્યાલ રાખવાની ખાસ જરૂર છે.
જે લોકો જૈન આચારોનાં રહસ્યોને નથી જાણતા તેઓ ઘણી વાર જૈન ધર્મને તેના ચારિત્રાચારનાં ચુસ્ત વિધિ-વિધાનોને કારણે રુણ ગણે છે. પણ તેમ કરવામાં તેઓ મોટી ભૂલ કરે છે. ચારિત્રમાં અનેક સંસારી બાબતોનો નિષેધ અલબત્ત છે. ઘણીયા બાબતોનો નિરોધ છે. પણ આ બધાં નિયંત્રણોના હાર્દમાં ઈશ્વરની પ્રાપ્તિ માટેનું નિમંત્રણ રહેલું છે તે વાત ન વિસરાવી જોઈએ.
જો ચારિત્રચાચાર નિયંત્રણ જેવો લાગે, તેમાં દમન લાગે તો અવશ્ય માનવું કે આપણે ચારિત્રાચારના ભાવને ચૂકી ગયા છીએ અને ફક્ત કાયાને કષ્ટ આપી રહ્યા છીએ. એ વાત ધ્યાન બહાર ન રહેવી જોઈએ કે ચારિત્ર તો પ્રગટાવવું પડે છે. દર્શન પાછળ જ્ઞાન આવે પણ ચારિત્ર તેની પછી આવે પણ ખરું. અને ન પણ આવે. દર્શન અને જ્ઞાનનો સંબંધ સત્યની જાણકારી સાથેનો છે જ્યારે ચારિત્રનો સંબંધ સત્યના સાક્ષાત્કાર સાથે થાય છે. તેથી તો નિશ્ચય નય, આત્માના આત્મામાં તન્મય થવાને જ ચારિત્ર ગણે છે. એ વાત સાચી ખરી, પણ ક્યારે? આત્માની એ દશા પ્રાપ્ત થાય ત્યારે જ; પણ તે દશા પ્રાપ્ત કરવા માટે ચારિત્રાચાર તો પ્રથમ કદમ છે. આત્મામાં સ્થિત થવું અને તેની સાથે તન્મય થઈ સ્થિર થવું એ તો