________________
૫૧
છે આવશ્યક - આચારસંહિતા અસ્તિત્વ પણ ન વરતાય. જ્યાં કાયાનો યોગ શૂન્ય થઈ ગયો ત્યાં મન ક્યાં રહ્યું? વચન ક્યાં રહ્યું? પછી બાકી રહ્યું આપણું અસ્તિત્વ - આપણો સ્વભાવ. આ પ્રાપ્ત કર્યા પછી બધું તુચ્છ બની જાય.
ભગવાન મહાવીરના દર્શનમાં આત્માની અંનત સંપદાની ઉપલબ્ધિ સામાયિકમાં થઈ જાય. આ ઉપલબ્ધિ એટલે પરમાત્મ દશા. આ ભગવતા એ નિવૃત્તિની અવસ્થા છે. સ્વભાવમાં લીનતાની અવસ્થા છે - આત્મામાં રમણતાની અવસ્થા છે. ગૌતમ બુદ્ધ જે ‘શાંતિની વાત કરે છે તે આ અવસ્થાની નજીકની વાત છે. પતંજલિ જે અવસ્થા માટે સમાધિ” શબ્દ વાપરે છે તે પણ આ અવસ્થાની નજીકની વાત લાગે છે. આ અવસ્થામાં જાણનારો બાકી રહે પણ કંઈ જાણવાનું બાકી ન રહે. ફક્ત અનવરુદ્ધ અસ્તિત્વ જ બાકી રહે. આ છે સીધા-સાદા સરળ લાગતા સામાયિકની સંભાવના.
આપણે જીવનને સ્વપ્નોથી સજાવીએ છીએ તેથી સત્યને ચૂકી જઈએ છીએ, જે શિવ છે અને સુંદર પણ છે. આપણે જીવનભર શકિતની પ્રાપ્તિની સાધનામાં લાગેલા રહીએ છીએ. પણ અહંકાર શક્તિની અંતર્ગત રહેલો જ હોય છે. જે અંતે વ્યર્થ કરે છે. જ્યારે સામાયિક એ સાર્થક અવસ્થા છે. જે સુખ અને દુઃખની બહુ ઉપરની અવસ્થા છે. સામાયિક ભગવાન મહાવીરના શિાસનની અનુપમ દેન છે. આવું અનંતની સંભાવનાઓથી ભરેલું સામાયિક છ આવશ્યકમાં પ્રથમ સ્થાને મૂકવામાં આવ્યું છે. કારણ કે તે આત્માની અનંત સંપદા તરફનો ઇશારો કરે છે.
આપણે નગાધિરાજ હિમાલયના ઉચ્ચતમ શિખર ગૌરીશંકર