________________
૮૮
જૈન આચાર મીમાંસા એવા ભગવાનની કલ્પના થાય; અને “અરિહંત'પદના ઉચ્ચારણ સમયે આઠ પ્રતિહાર્યોથી અને અતિશયોથી શોભતા અરિહંત પરમાત્માનું ચિત્ર માનસપટ ઉપર ઉપસી આવે. લોગસ્સની બીજી, ત્રીજી અને ચોથી ગાથાના ઉચ્ચારણ વખતે દરેક પદમાં સૂચવેલી સંખ્યા અનુસાર ભગવાનનાં દર્શન થાય અને જ્યાં જ્યાં વદે કે વિંદામિ' શબ્દ આવે ત્યાં આપણે માનસિક રીતે નમસ્કાર કરતા રહીએ. પાંચમી ગાથામાં ચઉવીસંપીના ઉચ્ચારણ સમયે ચોવીસ સહિતના અન્ય તીર્થકરોને માનસપટ ઉપર જોતાં, તેમની જન્મ, જરા અને મૃત્યુરહિત અવસ્થાના ગુણોનું સ્મરણ કરતાં, તેઓ આપણા ઉપર પ્રસન્ન થવાની કૃપા કરે તેવી પ્રાર્થનાનો ભાવ આવે. છઠ્ઠી ગાથા વખતે એવું ચિત્ર ખડું થાયકે ત્રણેય લોકમાં જેમનું કીર્તન, વંદન અને પૂજન થઈ રહ્યું છે તેવા તે ભગવંતો આપણને દ્રવ્ય તથા ભાવ આરોગ્ય, મોક્ષ માટે બોધિલાભ અને ઉત્તમ ભાવસમાધિ આપે એવી પ્રાર્થના થાય. છેલ્લે સાતમી ગાથામાં ચંદ્ર કરતાંય અધિક નિર્મળ (ષાયોથી મુક્ત હોવાને કારણે), સૂર્ય કરતાં પણ વધારે તેજસ્વી (જ્ઞાનના પ્રકાશને લીધે) સાગર કરતાંય વધારે ગંભીર (કોઈ પણ ભાવથી વિચલિત ન થતા હોવાને કારણે અતલ ઊંડાણવાળા) સિદ્ધ પરમાત્માઓ આપણને સિદ્ધગતિ આપે એવી ભાવપૂર્ણ પ્રાર્થના થાય. તે વખતે સિદ્ધશિલા ઉપર અનંત ચતુષ્ટયીમાં સ્થિત થયેલા પરમાત્માનું દર્શન પણ થાય.
આવા ભાવ સાથે કરેલા કાઉસ્સગ્ગથી આપણી ચેતનાનું તીર્થકર અને સિદ્ધ પરમાત્માઓની ચેતના સાથે અનુસંધાન થાય છે. આ અનુસંધાન જેટલું સચોટ અને સક્ષમ એટલો જીવાત્મા ઉપર