________________
જૈન આચાર મીમાંસા વચનાતિશયના પ્રભાવથી કેટલાક જીવો સર્વવિરતિ લઈ લે છે તો કેટલાય દેશવિરતિ ધારણ કરે છે તો અનેક જીવો સમકિત પ્રાપ્ત કરી લે છે. તીર્થકરની વાણી-વચન સાંભળવાથી કેટલાક જીવો ભદ્રિકતા-સરળતાને પ્રાપ્ત કરે છે. અપાયાપગમાતિશય એટલે કે તીર્થકરો જ્યાં વિચરતા હોય ત્યાં પ્રકૃતિ અનુકુળ બની જાય છે. ત્યાં દુષ્કાળ ન પડે, રોગચાળો ફાટી નીકળે નહીં. કોઈ કુદરતી આપત્તિ આવી ન પડે, ઋતુઓ અનુકૂળ બની રહે. આ બધો તીર્થકરોનો સહજ પ્રભાવ છે. તીર્થકરોમાં જે પૂજાતિશય પ્રગટ થયેલો હોય છે. તેને પરિણામે દેવો-મનુષ્યો-પશુ-પક્ષી સૌ કોઈ તેમની પૂજા માટે ઉત્સુક હોય છે. એટલું જ નહીં પણ સમગ્ર પ્રકૃતિ પણ તેમની પૂજા માટે તત્પર રહે છે. તેઓ ચાલતા હોય છે ત્યારે તેમની આગળ કોમળ સુવર્ણકમળોની રચના થતી જાય છે. જેના ઉપર જ તેમના પગ મુકાય છે. કાંટા નતમસ્તક થઈ જાય છે. સૌ કોઈ તીર્થકરોની પૂજા માટે સન્માન માટે - અનુકૂળતા માટે તત્પર બની રહે છે. આ છે તેમનો પૂજાતિશય. સામાન્ય જન માટે તીર્થકરોનું ભાવ સ્વરૂપે ચિંતવન કરવું જરા મુશ્કેલ હોય છે. કારણ કે ભાવ સૂક્ષ્મ હોય છે. પણ આઠ પ્રતિહાર્યો અને ચાર અતિશયોથી વિચાર કરવાનું વધારે સરળ રહે છે.
આમ તીર્થકરોની સ્તુતિ આ ચારેય નિક્ષેપાથી - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપથી થાય તો ભગવાન આપણને હૃદયસ્થ જ લાગે અને તેમના ગુણો સાથે આપણું તાદાભ્ય સધાતું જાય. તીર્થકરોના ગુણો સાથે થોડી પણ તરૂપતા સધાય તોપણ આત્મકલ્યાણનો આપણો માર્ગ