________________
[૪] ઘી પીરસવામાં...
૧૦૫
દાદાશ્રી : નહીં, એ ગ્રહણ છે. પ્રશ્નકર્તા : એ કેવી રીતે એ જરા સમજાવો.
દાદાશ્રી : આટલા બધા પુરુષો, નહીં તો હિન્દુસ્તાનના પુરુષ એટલે તો બહુ અજવાળું આપે અને આજુબાજુ પચ્ચીસ-પચ્ચીસ માઈલના એરિયામાં સુગંધી આવતી હોય, પણ આ તો કોઈની સુગંધ નથી આવતી એનું શું કારણ ?
પ્રશ્નકર્તા : સ્ત્રી જ.
દાદાશ્રી : આ ગ્રહણ થાય છે અને મારે જો ગ્રહણ નથી થતું. હીરાબાએ ગ્રહણ બંધ કરી દીધું એટલે મારે સુગંધી આવવા માંડી મારી. હું ચુમોતેર વર્ષનો છું, હીરાબા બોંતેર વર્ષના છે, પણ અમારે બેઉ મર્યાદામાં, કશી ભાંજગડ નહીં, મતભેદ નહીં, કશુંય નહીં. કેવી મજા આવે, નહીં ?