Book Title: Gnani Purush Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 439
________________ ૩૮૦ જ્ઞાની પુરુષ (ભાગ-૨) પ્રશ્નકર્તા : કઈ ઉંમરે ? દાદાશ્રી : ચોરાસી, એઈટીફોર. તે દહાડે રડવું આવેલું. પ્રશ્નકર્તા : તમને એ જે આખી અસર થઈ ગઈ, રડવું આવી ગયું, તે વખતે તમે ક્યાં હતાં ? દાદાશ્રી : ક્યાં ? પ્રશ્નકર્તા : તમે જે દ્રષ્ટાભાવમાં... દાદાશ્રી : ના, તે ઘડીએ દ્રષ્ટાભાવ નહોતો. પ્રશ્નકર્તા : હું, એમ ! દાદાશ્રી : તે ઘડીએ તો ‘હું અંબાલાલ છું’ એ જ, ત્યાર પછી બે વરસ પછી જ્ઞાન થયું આ. પ્રશ્નકર્તા : પણ દાદા, કાંતિભાઈ ગયા ત્યારે તમને જરાય ઈફેક્ટ નહોતી દેખાતી. દાદાશ્રી : ના, તે દહાડે રડવું નહીં આવેલું. પણ તે દહાડે હું બહારગામ હતો. અહીં હોત ને, તો આવત. મને રડવું શેના પર આવે છે ? મરનાર ઉપર નથી આવતું, બીજા લોકોને ઢીલા દેખું ને તો મને આવે છે. એ તો જ્યાં આગળ કો'ક એકદમ ધ્રુસકે ધ્રુસકે રડી પડે અને તે જોઉ તો મને અસર થઈ જાય પછી. અત્યારેય અસર થાય. અહીં કોઈ રડતું હોય ને, તો અસર થઈ જાય. પણ એની અસર બીજા લોકો ઉપર વધારે પડશે એમ માનીને એનેય કંટ્રોલમાં લઈએ અમે. શું કહ્યું ? બીજાને વધારે અસર પડી જાય ને ! બાકી શરીર તો એવું જ હોય, દેહ તો એવો જ હોય. પ્રશ્નકર્તા : એમ નહીં, દાદા. એ બે સ્થિતિ, મધર ઓફ થઈ ગયા ત્યારે અને ચંદ્રકાંતભાઈ વખતે એ બેમાં શો ફેર ? દાદાશ્રી : તે દહાડે તો મધરનો પ્રેમ જ ખાલી. પ્રેમ જ રડાવે છે

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448