Book Title: Gnani Purush Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 431
________________ ૩૭૨ જ્ઞાની પુરુષ (ભાગ-૨) થઈ ગયા ?” “એ તો આવવાનું પૈડપણ, ના લાવવું હોય તોય આવે. જવાનું આપણે તો.” મરણતા સમાચારે પણ એ જ સ્વસ્થતાથી કરી વિધિ રાત્રે સારી રીતે વાતો-બાતો કરતા'તા બધી. ત્રણ વાગે તો ગામઠાણ (જેની પર ગામ વસ્યું હોય તે જમીન) છોડી દીધું. પ્રશ્નકર્તા: ખબર કેવી રીતે પડી ત્રણ વાગે, દાદા ? દાદાશ્રી : એ તો જાગ્યા'તા ને બધા. રોજ જાગીને જુએ ને ! ત્યારે થોડું થોડું એ થયું પછી જતા રહ્યા. પણ સારું મરણ. કશું દુઃખ નહીં. ને એમને એક બૂમ પાડતા કોઈએ જોયા નથી અત્યાર સુધી, કે મને આમ થયું કે તેમ થયું. બૂમ પાડે કે છે તે સોડ વાળે. મુશ્કેલી મેં નથી જોઈ. તે ઠેઠથી, પહેલેથી સમાધિ હતી ને ! અમે પથારીમાં રાત્રે બેઠા હતા, રસિકભાઈ નીચેથી કહેવા આવ્યા કે “હીરાબા ગયા.” રાત્રે તો અમે બધા બેઠા હતા. કશી એવી વાતચીત જ નહોતી. બધી પાછલી જ વાતો કાઢતા'તા, એ પોતે હલે. એ સૂઈ ગયા એટલે પછી અમેય સૂઈ ગયા. પછી આ લોકો તપાસ કરવા ગયા ત્યારે મહીં કશું હતું નહીં. તે પછી ઉપર આવીને મને રસિકભાઈએ કહ્યું. મેં કહ્યું, “વિધિ કરું છું, વિધિ પૂરી કરી લઉં ત્યાં સુધી તમે બધું કરો વ્યવસ્થા.” મારે ત્યાં સુધી એક કલાક વિધિ ચાલવાની હતી. બાતી વિદાય પર લોકોએ આપી ભાવાંજલિ પછી સવારમાં જે લોક દર્શન માટે તૂટી પડ્યું છે ! નર્યા હાર, હાર, હાર ! પોણોસો હાર સુખડના હશે. બીજા કેટલા બધા હાર ! બધુંય એના સાથે જ બાંધ્યું હતું. રસ્તામાંય બધું હાર સાથે. ફુલાનો ઢગલો થયેલો ત્યાં આગળ. પ્રશ્નકર્તા: દાદા, એ પણ મહા ભાગ્યશાળી કહેવાય ને ! જ્ઞાની પુરુષના પત્ની થવાનું સૌભાગ્ય મળ્યું એમને.

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448