Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
યદ્યપિ, શ્રી વીતરાગપરમાત્માનું સંવાદિ જે પરમતારક વચન છે, તેને અહીં આ શ્લોકમાં મહત્ત્વસ્વરૂપે વર્ણવ્યું છે તે યોગ્ય નથી. કારણ કે અનન્યસાધારણગુણવત્ત્વસ્વરૂપ તે મહત્ત્વ છે – આ પ્રમાણે આ પૂર્વે પહેલા શ્લોકમાં છેલ્લે વર્ણવ્યું છે. પરંતુ અવચ્છેદ્ય અને અવિચ્છેદક તેમ જ લિંગ અને લિંગી – એ બેમાં સ્યાદ્વાદને આશ્રયીને કથંચિત્ અભેદ હોવાથી એ પ્રમાણે જણાવવામાં કોઈ દોષ નથી. આશય એ છે કે વીતરા મહાન સંવાવિવનવત્તા અને વીતરા : સંવવિઘનવસ્વૈન મહાન અહીં શ્રી વીતરાગપરમાત્મામાં મહત્ત્વને સંવાદિવચનવત્વ હેતુથી સિદ્ધ કર્યું છે અને જણાવ્યું છે. એમાં મહત્ત્વ સાધ્ય છે (લિંગી છે) અને તેમાં હેતુ-સાધન (લિંગ) સંવાદિવચનવન્ત (વચન) છે. સ્યાદ્વાદને આશ્રયીને લિંગ (સાધન) અને લિંગી (સાધ્ય) એ બેમાં કથંચિત્ અભેદ હોવાથી સંવાદિવચનસ્વરૂપ લિંગને મહત્ત્વસ્વરૂપે (લિંગી-સાધ્ય સ્વરૂપે) વર્ણવ્યું છે. તેમ જ વીતરી : સંવિવનવસ્વૈન મહાન આ પ્રતીતિમાં વીતરાગપરમાત્માનું વિશેષણ મહત્ત્વ છે અને મહત્ત્વનું વિશેષણ સંવાદિવચન છે. વિશેષણનું વિશેષણ પ્રથમ વિશેષણમાંની વિશેષણતાનું અવચ્છેદક કહેવાય છે. અને તેનાથી અવચ્છેદ્ય તે વિશેષણતા (વિશેષણ) મનાય છે. આથી સમજી શકાશે કે મહત્ત્વ અવચ્છેદ્ય છે અને તેનું અવચ્છેદક સંવાદિવચન છે. સ્યાદ્વાદને આશ્રયીને એ બંનેનો પણ કથંચિત્ અભેદ હોવાથી સંવાદિવચનસ્વરૂપે મહત્ત્વનું વર્ણન કરવામાં કોઈ અનુપપત્તિ નથી... વગેરે અધ્યાપક પાસેથી સમજી લેવું. ૪-રા
પૂર્વ શ્લોકમાં જણાવ્યા મુજબ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સંવાદિવચનરૂપે જ ભગવાન શ્રી તીર્થંકરપરમાત્માનું મહત્ત્વ જણાવ્યું છે, તે જણાવાય છે–
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।
युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥४-३॥ पक्षपात इति-न मे मम वीरे श्रीवर्धमानस्वामिनि । पक्षपातो गुणानालोचनपूर्व एव रागः । कपिलादिषु च न मे द्वेषः । किं तु यस्य वचनं युक्तिमत् तस्य परिग्रहः स्वीकारः कार्यः । इत्थं चात्राविसंवादिवचनत्वेनैव भगवति महत्त्वमाचार्यैरभिप्रेतम् ।।४-३।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે શ્રી મહાવીર પરમાત્માને વિશે મને પક્ષપાત નથી. ગુણની તાત્ત્વિકતાનો વિચાર કર્યા વિના તે તે વ્યક્તિ પ્રત્યે જે રાગ થાય છે; તેને પક્ષપાત કહેવાય છે. એવો રાગ શ્રી વર્ધમાનસ્વામીને વિશે મને નથી. તેમ જ કપિલાદિ(સાખ્યાદિ દર્શનોને માનનારા તે તે દાર્શનિકો)ને વિશે મને દ્વેષ નથી. જેમનું વચન યુક્તિમદ્ છે, તેમનો મહાપુરુષ તરીકે સ્વીકાર કરવો જોઈએ. આ પ્રમાણે શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી વીતરાગપરમાત્માનું મહત્ત્વ અવિસંવાદી (યુક્તિમ) વચનને લઈને છે - એ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. ૪-al
औदयिकभावस्यापि विशिष्टस्य महत्त्वप्रयोजकत्वं व्यवस्थापयति
એક પરિશીલન
૧૨૯