Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 252
________________ अपि च प्रसङ्गसाधनं पराभ्युपगमानुसारेण भवति, न चास्माकं प्राण्यङ्गत्वेन मांसमभक्ष्यमित्यभ्युपगमः किं तु जीवोत्पत्त्याश्रयत्वादिति दर्शयन्नाह ખરી વાત તો એ છે કે ઉપર જણાવ્યા મુજબ પ્રસંગસાધનના તાત્પર્યથી પ્રવર્તાવેલું અનુમાન બીજાની માન્યતાનુસાર હોવું જોઇએ. ઓદનાદિને ભક્ષ્ય માનનારા પ્રાણંગસ્વરૂપે તેને ભક્ષ્ય માનતા નથી તેમ જ માંસ પ્રાણંગ છે માટે તે અભક્ષ્ય છે એવી પણ અમારી માન્યતા નથી. અમે જો પ્રાણંગસ્વરૂપે માંસને અભક્ષ્ય માનતા હોઇએ તો ચોક્કસ જ એ સ્વરૂપે ઓદનાદિમાં પણ અભક્ષ્યત્વ માનવાનો અને ઓદનાદિની જેમ માંસ વગેરેમાં પણ ભક્ષ્યત્વ માનવાનો અમને પ્રસંગ આવે. પરંતુ જીવોત્પત્તિના આશ્રય સ્વરૂપે માંસને અમે અભક્ષ્ય માનીએ છીએ તેથી ઓદનાદિ તેમ ન હોવાથી તેમાં અભક્ષ્યત્વ માનવાનો પ્રસંગ આવતો નથી – એમ જણાવવા માટે પાંચમો શ્લોક છે— प्राण्यङ्गत्वादभक्ष्यत्वं न हि मांसे मतं च नः । जीवसंसक्तिहेतुत्वात् किन्तु तद्गर्हितं बुधैः ॥ ७-५ ॥ प्राण्यङ्गत्वादिति—न हि नोऽस्माकं प्राण्यङ्गत्वान्मांसेऽभक्ष्यत्वं च मतं । किं तु जीवसंसक्तिहेतुत्वात् तन्मांसं बुधैर्बहुश्रुतैर्गर्हितं निषिद्धम् ।।७-५।। શ્લોકાર્થ સ્પષ્ટ છે. ઉપર જણાવ્યા મુજબ આશય સ્પષ્ટ છે કે ‘માંસમાં પ્રાણંગત્વ હોવાથી તે અભક્ષ્ય છે – એવી અમારી માન્યતા નથી. પરંતુ જીવોત્પત્તિનું કારણ–આશ્રય હોવાથી પંડિત પુરુષોએ – બહુશ્રુત મહાત્માઓએ તેનો નિષેધ કર્યો છે અર્થાત્ તેને અભક્ષ્ય તરીકે જણાવ્યું છે.’ ૭-૫।। તથાહિ— માંસમાં જીવોત્પત્તિ કઇ રીતે થાય છે : તે જણાવાય છે— पच्यमानामपक्वासु मांसपेशीषु सर्वथा । तन्त्रे निगोदजीवानामुत्पत्तिर्भणिता जिनैः ॥ ७-६ ॥ पच्यमानेति - एतदर्थसंवादिनी चेयं गाथा - " आमासु य पक्कासु य विपच्चमाणासु मंसपेसीसु । आयंतियमुववाओ भणिओ अ निगोअजीवाणं ॥। १ ।। ।। ७-६ ।। “પકવવામાં આવતી કાચી કે પાકી માંસપેશીઓમાં સર્વથા નિગોદના જીવોની ઉત્પત્તિ થાય છે - એ પ્રમાણે શ્રી જિનેશ્વરદેવોએ આગમમાં વર્ણવ્યું છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે – એ અર્થને જણાવનારી ‘આમાસુ ય પઠ્ઠાસુ ય વિધ્યમાળાનુ મંસપેસીસુ | ગાયંતિયમુવવાબો મળિયો નિોલનીવાળ' આ ગાથા છે. પકાવાતી કાચી કે પાકી માંસપેશીઓમાં નિગોદજીવોની આત્યંતિક ઉત્પત્તિ જણાવી છે. - આ પ્રમાણે ગાથાનો અર્થ સ્પષ્ટ છે. II૭-૬ા એક પરિશીલન ૨૪૯

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286