Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
१८
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका રહેતા નથી કારણ કે આત્માના સભ્ય શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન દ્વારા અનંત આત્માએ સંસારથી મુક્ત થઈ ગયા અને આગળ ઉપર પણું અનંત ભવ્ય મુક્ત થશે. તે “સંસારી' વિશેષણ કેવી રીતે ઘટે છે?
ઉત્તર : પ્રથમ તે એમ છે અનંત ભવ્ય મુક્ત થઈ ગયા અને થશે તે પણ તેનાથી પણ અનંતગુણ જીવ સંસારી છે અને રહેશે. વળી બીજી વાત એમ છે કે જેઓ મુકત થઈ ગયા તેઓ પણ ભૂતનૈગમનથી સંસારી કહી શકાય છે.
પ્રશ્ન ૪૧ : જીવ કયા નયથી સંસારી છે? ઉત્તર : આ વિષયની પ્રરૂપણા માટે મુખ્ય ચાર નય છે.
(૧) વ્યવહારનય (૨) અશુદ્ધનિશ્ચયનય (૩) શુદ્ધનિશ્ચયનય () પરમ શુદ્ધ નિશ્ચયનય.
પ્રશ્ન ૪૨ ઃ વ્યવહારનયથી જીવ કેવી રીતે સંસારી છે?
ઉત્તર કર્મકર્મના બંધનને વશ વર્તતે હોવાથી જીવ ગતિ જાતિ, જીવસમાસ આદિ વ્યક્ત પર્યાવાળો સંસારી છે.
* પ્રશ્ન ૪૩ : અશુદ્ધનિશ્ચયનયથી જીવ કેવી રીતે સંસારી છે?
ઉત્તર : અશુદ્ધનિશ્ચયનયથી જીવ દર્શન જ્ઞાન ચરિત્ર આદિ ગુણના વિભાવપરિણમનમાં લાગેલો હોવાથી સંસારી છે.
પ્રશ્ન ૪૪ : શુદ્ધનિશ્ચયનયથી જીવની શું અવસ્થા છે?
ઉત્તર શુદ્ધનિશ્ચયનયથી જીવ સંસારથી રહિત, પિતાના સ્વભાવિક પૂર્ણ વિકાસમાં તલ્લીન, શુદ્ધરૂપે છે.
પ્રશ્ન ૪૫ પરમશુદ્ધનિશ્ચયનયથી જીવની શુ અવસ્થા છે? ઉત્તર : આ નય અવસ્થા (પર્યાય)ને જાતે જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org