Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९१६ • शुद्धज्ञाने आत्मास्तित्वानुसन्धानम् ॥
८/२ स्वभावगुणपर्यायनिरूपणावसरे तु द्रव्यस्वभावप्रकाशे “णाणं दंसण-सुह-वीरियं च जं उहयकम्मपरिहीणं। तं सुद्धं जाण तुमं जीवे गुणपज्जयं सव्वं ।।” (द्र.स्व.प्र.२५) इति प्रोक्तमित्यवधेयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - निष्कपटं दीर्घकालं यावत् निरन्तरं शक्तिमनिगुह्य आराधनागोचरं प्रचुरं प्रचण्डं पुरुषकारं कृत्वाऽपि कर्मवैषम्येन नियतिवैचित्र्येण कालप्रातिकूल्येन अशुभनिमित्तपारवश्येन वा अनेकशः नानाविधदोषपराजित आत्मार्थी यदा हतोत्साहतागर्तायां निमज्जति, साधनासाफल्यसमुल्लासशिखरात् परिभ्रश्यति तदा तादृशमात्मार्थिनं निश्चयनयः गुण-गुण्यभेदमुपदर्येदं सूचयति यदुत ‘आत्मनिष्ठानादिशुद्धकैवल्याऽनन्तशक्तिज्योतिरेव त्वम् । परमार्थतः तत्रैव तवाऽस्तित्वम् । त्वं न ततो भिद्यसे । आत्मस्वरूपं केवलज्ञानादिकं नैव विगतम्। उत्तिष्ठ। कैवल्यण ज्योतिषि तवेमां दृष्टिमुपादेयतया स्थापय । कुकर्म-काल-नियति-निमित्तादिकं विगमिष्यति अचिरेण' । इत्थं निश्चयनयोपदेशं श्रुत्वा अभ्युपगम्य चात्मार्थी उत्साहादिसमापूरितप्राणः सम्पद्यते। ततश्चाऽऽराधना चैतन्यवती प्राणवती च जायमाना द्रुतं “मोक्षो ज्ञानानन्दमयः” (कृ.गी.७३) इति कृष्णगीतायां बुद्धिसागरसूरिभिः दर्शितं मोक्षं प्रापयति ।।८/२।।
સ્વભાવગુણપર્યાયની વિચારણા ના (સ્વભાવ.) સ્વભાવગુણપર્યાયનું નિરૂપણ કરવાના અવસરે તો દ્રવ્યસ્વભાવપ્રકાશમાં જણાવેલ છે કે “જીવમાં દ્રવ્યકર્મથી અને ભાવકર્મથી રહિત જે જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય (વગેરે) ગુણ હોય છે, તે તમામને તમે જીવના શુદ્ધગુણપર્યાય તરીકે જાણો.” આ રીતે નિરુપાધિક જ્ઞાનાદિને સ્વભાવગુણપર્યાય તરીકે દિગંબર માઈલ્લધવલે જણાવેલ છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી.
છે કૈવલ્યજ્યોતિ સ્વરૂપ આત્માને ઓળખીએ છે આ આધ્યાત્મિક ઉપનય - પ્રામાણિકપણે દીર્ઘ કાળ સુધી નિરંતર અહોભાવપૂર્વક શક્તિ છૂપાવ્યા વિના સાધનામાર્ગે પુષ્કળ-પ્રચંડ પુરુષાર્થ કરવા છતાં કર્મની વિષમતાથી, નિયતિની વિચિત્રતાથી, કાળબળની પ્રતિકૂળતાથી કે વિષમ પરિસ્થિતિની પરવશતાથી જાણ્યે-અજાણ્યે અનેક વખત નાના, મોટા દોષોનો શિકાર બની જનારો સાધક જ્યારે હતાશાની ઊંડી ખાઈમાં ગરકાવ થઈ જાય છે, સાધનામાર્ગે સફળતાને મેળવવાના ઉલ્લાસના શિખરથી ગબડી પડે છે, ત્યારે હતોત્સાહ બનેલા તેવા આત્માર્થી સાધકને નિશ્ચયનય ગુણ-ગુણીનો અભેદ દર્શાવી એવું સૂચિત કરે છે કે “આત્મામાં રહેલ અનાદિશુદ્ધ કૈવલ્ય જ્યોતિ અને અનંત શક્તિ એ જ તું છે. પરમાર્થથી ત્યાં જ તારું અસ્તિત્વ છે. તું તેનાથી જુદો નથી. તથા આત્મસ્વરૂપ કેવલજ્ઞાન કાંઈ ખોવાઈ ગયેલું નથી. તેથી ઉઠ, ઉભો થા. કૈવલ્ય જ્યોતિ ઉપર તારી નજરને ઉપાદેયપણે સ્થિર કર. કુકર્મ, કુકાળ, કુનિયતિ, કુનિમિત્ત આપમેળે ઝડપથી રવાના થઈ જશે.” આવો નિશ્ચયનયનો ઉપદેશ સાંભળી, સ્વીકારી સાધકના ઉલ્લાસ-ઉમંગમાં પ્રાણ પૂરાય છે. તથા તેની સાધના વેગવંતી અને ચૈતન્યવંતી બની તેને ઝડપથી કૃષ્ણગીતામાં શ્રીબુદ્ધિસાગરસૂરિજીએ વર્ણવેલ જ્ઞાન-આનંદમય મોક્ષમાં પહોંચાડે છે. (૮૨) 1. ज्ञानं दर्शन-सुख-वीर्यं च यदुभयकर्मपरिहीणम्। तं शुद्धं जानीहि त्वं जीवे गुणपर्यायं सर्वम् ।।
છે
કે
રદ