Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 201
________________ અધ્યાય ૨૧ મે-પ્રીતિ ૧૪૫ હતું તે એટલાજ માટે કે સમસ્ત વૃત્તિઓની યથાયોગ્ય સ્કુતિ ન થાય તે ધર્મની પ્રાપ્તિ પણ થઈ શકે નહિ. શિષ્ય-પ્રીતિવૃત્તિની ભારતવષય અથવા પારમાર્થિક અનુશીલન પદ્ધત્તિ મારા જાણવામાં આવી ગઈ. જ્ઞાનધારા ઈશ્વરનું સ્વરૂપ સમજી જગતની સાથે તેની તથા આપણી અભિન્નતા છે, એવી ક્રમે ક્રમે આપણે દઢ શ્રદ્ધા પ્રાપ્ત કરવી જોઈએ. છેવટે જ્યારે સર્વ લેકને આપણે આપણું આત્મા સમાન લેખતાં શીખીએ ત્યારે જ પ્રીતિવૃત્તિની સંપૂર્ણ સ્તુતિ થઈ એમ ગણાય. આત્મપ્રીતિ (સ્વાર્થવૃત્તિ) પણ એ જાગતિક પ્રીતિની વચમાં વિન નાખી શક્તી નથી. કારણ કે સમસ્ત જગત જે પ્રભુમય અથવા આત્મમય જણાવા લાગે તે પછી આત્મપ્રીતિ કાંઈ હાનિ કરી શકે એ સંભવ રહેતો નથી. આવી પ્રીતિસ્કૃતિનું પરિણામ છેવટે માત્ર દેશવાત્સલ્યમાં જ આવીને નહિ અટકતાં જગત વાત્સલ્યમાં જ પરિણામ પામે છે. પ્રાકૃતિક (ભૌતિક અથવા સ્કૂલ) ઉન્નતિના પરિણામે યુરોપમાં તો દેશવાત્સલ્યને જન્મ થયો છે, પરંતુ હું જાણવા માગું છું કે આપણા ભારતવર્ષમાં જગત વાત્સલ્ય ક્યાંય જન્મ લીધે છે? ગુર–આજકાલ એવું બનતું જોવામાં આવતું નથી. પાશ્ચાત્ય શિક્ષણના સંસ્કારોએ આપણા ઉપર એવી તે સજજડ અસર કરી છે કે હવે આપણે જગતવત્સલ થવાને બદલે દેશવત્સલ થવા લાગ્યા છીએ. અત્યારે આપણને અન્ય પ્રજાઓ ઉપર તિરસ્કાર આવવા લાગ્યો છે, પરંતુ અત્યાર સુધી આ દેશમાં એવું કાંઈજ નહતું. “દેશવાત્સલ્ય” એવી વસ્તુજ આ દેશમાં રહેતી. અન્ય પ્રજાપ્રતિ ભેદભાવે વર્તવું, એ કોઈને કદાપિ ખ્યાલ પણ આવતે નહે. હિંદુ રાજાઓની પછી મુસલમાન રાજાઓ થયા તોપણ હિંદુઓએ તેમની સામે કશે વાંધો ઉઠાવ્યો નહિ. હિંદુઓને મન હિંદુ તથા મુસલમાન એક સમાન હતા. મુસલમાન પછી અંગ્રેજો આવ્યા, તે પણ હિંદુઓએ એકકે શબ્દ ઉચ્ચાર્યો નહિ, એટલું જ નહિ પણ હિંદુઓએ જ અંગ્રે. જેને બોલાવી રાજ્ય ઉપર બેસાર્યા. હિંદુ સીપાહીઓ અંગ્રેજોની તરફથી લડયા અને હિંદુઓનું રાજ્ય તેમને જ અર્પણ કર્યું. કારણ કે અંગ્રેજો પિતાનાથી ભિન્ન જાતિના છે, એ ખ્યાલજ હિંદુ પ્રજાને આવી શકો નહતો. અંગ્રેજો પ્રત્યે તેમને મુલ દ્વેષભાવ નહતો. આજે પણ ભારતવર્ષ અંગ્રેજી રાજ્ય પ્રત્યે સંપૂર્ણ વફાદાર છે. અંગ્રેજ પ્રજા હિંદુજાતિની આવી પ્રભુભક્તિ-રાજભક્તિ સમ્યફરૂપે સમજી શકતી નથી, અને તેથી તે હિંદુજાતિને દુર્બળ માની કૃત્રિમ પ્રભુભક્ત જાતિ માને છે. પરંતુ અંગ્રેજી પ્રજાની તે એક ગંભીર ભૂલ છે, એમ કહેવાની જરૂર નથી. * અગ્રેજ પ્રજાની એ ભૂલ, અને તે તેને શ્રેષ્ઠ માની લેવાની હિંદીઓની ભૂલ, એ બંને ભૂલો અથવા બ્રમણાઓનો ઘટસ્ફટ હવે કેવી રીતે થવા માંડયા છે તે વાત હવે પ્રસિદ્ધજ છે. સંપાદક ૧. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248