Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 219
________________ અધ્યાય ૧૩ -સ્વજનીતિ ૧૬૩ હોવાથી મનુવ્યો તેની અપરિમિત ખીલવણી કરવા પ્રયત્ન કરે છે, અને એ વૃત્તિએનો પોતાને વેગ સ્વાભાવિકરીતે જ બહુ પ્રબળ હોવાના કારણે તે દુમનીય થઈ પડે છે. આથી એનું પરિણામ એવું આવે છે કે એ બે વૃત્તિઓ અન્ય સર્વ વૃત્તિઓ ઉપર કાબૂ મેળવી જાય છે, અને કોઈને આગળ વધવા દેતી નથી. પછી ભક્તિ, પ્રીતિ અને અન્ય સમસ્ત ધર્મો તેનાજ વેગમાં સપડાઈ જઈ પિતાની સત્તા ગુમાવી બેસે છે. અનેક મનુષ્યો સ્ત્રી–પુત્રાદિની પાછળ ગાંડા જેવા બની જાય છે અને ધર્મકર્મને તિલાંજલિ આપી બેસે છે, તેનું પણ એજ કારણ છે. આપણી હિંદી પ્રજા ઉપર આ કલંક ખાસ કરીને બળવાન થયેલું જણાવવામાં આવે છે, તે અસત્ય નથી. - સંન્યાસ ધર્મના પ્રવર્તક અથવા ઉપદેશકે અપત્યપ્રીતિ તથા દંપતિપ્રીતિ પ્રત્યે તિરસ્કારની દૃષ્ટિથી નિહાળે છે, તેનું પણ એજ કારણ છે. સંન્યાસીઓ સ્ત્રીમાત્રને પિશાચીરૂપે માને છે, પરંતુ હું તને આગળ કહી ગયો છું કે જે સંતાનપ્રીતિ તથા દંપતિપ્રીતિને તેની યોગ્ય સીમામાં કેળવવામાં આવે છે તે પરમ ધર્મ છે. તેમ કરવાને બદલે સ્ત્રી-પુત્રાદિને નિર્દયપણે ત્યાગ કરી દે એ પરમ અધર્મ છે. તે ઉપરાંત જાગતિક પ્રીતિ સંબંધે વિવેચન કરતી વેળા હું તને કહી ગયો છું કે જાગતિક પ્રીતિપર્યત પહોંચવાને માટે પારિવારિક પ્રીતિ એક પગથીઆ સમાન છે. જેઓ પારિવારિક પ્રીતિરૂપી પ્રથમ પગથી આનો ત્યાગ કરી જગત સાથે પ્રીતિ જોડવાનો દેખાવ કરે છે તેઓ તેમાં અનેકવાર નિષ્ફળ થયા વિના રહેતા નથી. શિષ્ય –ઇસુના સંબંધમાં એ કથન કેવી રીતે લાગુ પાડશે ? ગુરુ-ઇસ અથવા શાક્યસિંહની માફક જેઓ એવું પરાક્રમ દાખવી શકે તેઓને હું ઈશ્વરાંશી લેખું છું. તે સાથે એટલું પણ કહેવું જોઈએ કે ઇસ અથવા શાક્યસિંહ જેવા મનુષ્ય સિવાય એ નિયમનું ઉલંધન કરી આગળ વધવાને ભાગ્યેજ કઈ સમર્થ થઈ શકે છે. હું એમ માનું છું કે જો ઈસુ અથવા શાક્યસિંહે ગૃહસ્થાવસ્થામાં રહી ધર્મ પ્રવર્તાવ્યો હતો તે તેઓની ધાર્મિકતા અત્યારે છે તેના કરતાં પણ અધિકતાપાત્ર થઈ હેત, એમાં શક નથી. શ્રીકૃષ્ણ જેવા આદર્શ પુરુષો ગૃહસ્થાશ્રમમાં જ રહ્યા હતા. ઈસુ અથવા શાકયસિંહ માત્ર સંન્યાસીઓ હતા–આદર્શ પુરુષ નહેતા. સંતાનપ્રીતિ અને દંપતિપ્રીતિ સિવાય સ્વજનપ્રીતિના સંબંધમાં પણ થોડ બલવાનું રહી જાય છે. (૧) જે વસ્તુતઃ આપણું સંતાન ન હોય પણ સંતાનના સ્થાને હેય તેઓ પણ આપણું સંતાનપ્રીતિના હક્કદાર છે. (૨) જેઓ આપણી સાથે એક વંશના લોહીથી જોડાયેલા હોય, તેઓ અર્થત ભાઈ--બેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248