Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૨૪૧
પ્રકરણ - ૮ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
तथा-प्रागेवं पूजाविधानमस्ति न वा ?
तथा-कुत्र चैतदुपयोगि ? इति प्रसाद्यमिति प्रश्ना अत्रोत्तराणिगुरुपूजासत्कं सुवर्णादि गुरुद्रव्यं न भवति, स्वनिश्रायामकृतत्वात्, स्वनिश्राकृतं च रजोहरणाद्यं गुरुद्रव्यमुच्यत इति ज्ञायते ॥३-४८१५२॥ तथा हेमाचार्याणां कुमारपालराजेन सुवर्णकमलैः पूजा कृताऽस्त्येतदक्षराणि कुमारपालप्रबन्धे सन्ति ॥३-४९-१५३॥ तथा"धर्मलाभ इति प्रोक्ते दुरादुच्छ्रितपाणये । सूरये सिद्धसेनाय ददौ कोटिं नराधिपः" ॥१॥ इदं चाग्रपूजारूपं द्रव्यं तदानीं सङ्घन जीर्णोद्धारे व्यापारितमिति तत्प्रबन्धादौ श्रूयते । अत्रार्थे बहुवक्तव्यमस्ति, कियल्लिख्यते इति प्रश्नत्रयप्रतिवचनानि ॥३-५०-१५४॥
પ્રશ્ન: ગુરુપૂજા સંબંધી સુવર્ણ વગેરે દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય કે નહિ? પ્રશ્નઃ તથા પૂર્વે આ પ્રમાણે ગુરુપૂજાનું વિધાન હતું કે નહિ?
પ્રશ્નઃ તેમજ એ દ્રવ્યનો ઉપયોગ કયાં કરાય? આ જણાવવા કૃપા કરશો.
ઉત્તર :
ગુરુપૂજા સંબંધી સુવર્ણ વગેરે સ્વનિશ્રાનું નહિ હોવાથી = પોતાને સ્વાધીન કરેલું નહિ હોવાથી ગુરુદ્રવ્ય ન કહેવાય, પરંતુ જે રજોહરણાદિ વસ્તુઓ ગુરુઓએ પોતાને સ્વાધીન કરી હોય તે વસ્તુઓ ગુરુદ્રવ્ય કહેવાય, એમ જણાય છે.
તથા શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીની કુમારપાલ ભૂપાલે સુવર્ણકમળોથી પૂજા કરી છે, એવા અક્ષરો કુમારપાલ પ્રબંધમાં છે. તેમજ “ધર્મલાભ = તને ધર્મનો લાભ થાઓ, એ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે દૂરથી જેઓએ હાથ ઊંચા કર્યા છે એવા શ્રીસિદ્ધસેનસૂરિજીને વિક્રમ રાજાએ કોટિ દ્રવ્ય આપ્યું.”
૨. વર 'તિ પવિત્તરમ્ |