Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 59
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : બધાની વચ્ચે આવો ઢેડફજેતો થાય, તો ઘરની બહાર આપણાથી કેવી રીતે, શું મોં લઈને નીકળાય ? દાદાશ્રી : ત્યારે શું કરે ? ઘરમાં બેસી રહે ? પાછાં એમની બુદ્ધિ તરત શું શીખવાડે કે ઘેર ઘેર બધે એવું જ છે ! કકળાટ શેને લીધે થાય છે ? અબ્રહ્મચર્યથી. વિષયનો કંટ્રોલ નહીં હોવાથી કકળાટ છે આ બધો. નહીં તો સ્ત્રી-પુરુષોને કકળાટ કેવી રીતે થાય ?! વિષયના કાબૂવાળાને કકળાટ હોય નહીં દુનિયામાં, તમને લાગે છે એવું વિચારતા ? વિષયમાં સુખ કરતાં વિષયથી પરવશતાના દુઃખ વિશેષ છે ! એવું જ્યારે સમજાય ત્યારે પછી વિષયનો મોહ છૂટે અને તો જ સ્ત્રી જાતિ પર પ્રભાવ પાડી શકે અને એ પ્રભાવ ત્યાર પછી નિરંતર પ્રતાપમાં પરિણમે. નહીં તો આ જગતમાં મોટા મોટા મહાન પુરુષોએ પણ સ્ત્રી જાતિથી માર ખાધેલો. વીતરાગો જ વાતને સમજી ગયેલા ! એટલે એમના પ્રતાપથી જ સ્ત્રીઓ દૂર રહેતી ! નહીં તો સ્ત્રી જાતિ તો એવી છે કે ગમે તે પુરુષને જોતજોતામાં લટ્ટ બનાવી દે, એવી એ શક્તિ ધરાવે છે. એને જ સ્ત્રી ચરિત્ર કહ્યું ને ! સ્ત્રીથી તો છેટા જ રહેવું. એને કોઈ પણ પ્રકારના ઘાટમાં ના લેવી, નહીં તો તમે પોતે જ એના ઘાટમાં આવી જશો. અને આની આ જ ભાંજગડ કેટલાંય અવતારથી થઈ છે ને ! વધારેમાં વધારે વિષયી સ્ત્રી હોય. તેનાથી નપુંસક બહુ જ વિષયી હોય અને પુરુષ તો સ્ત્રીથી પણ ઓછો વિષયી હોય. વિષય ઉત્પન્ન થયા પછી વહેલો કંટ્રોલમાં કરી શકે એ ઓછો વિષયી કહેવાય. પુરુષ વહેલો કંટ્રોલ કરી શકે છે. સ્ત્રી કંટ્રોલ કરી શકતી નથી ! જેટલો વિષથી વધારે એટલી સ્થિરતા વધારે, જેટલો વિષયી ઓછો એટલી સ્થિરતા ઓછી. આ બધા કુદરતના નિયમ છે. શાસ્ત્રકારોએ તો કહ્યું છે કે નપુંસક લિંગ હોય તે દસ કલાક એક જગ્યાએ સૂઈ રહે તો ય પોતાના વિષયના ભાવ વ્યક્ત ન કરે, સ્ત્રી પણ વિષયના ભાવ વ્યક્ત ના કરે અને પુરુષ તો કલાકમાં જ ભાવ વ્યક્ત કરી દે ! સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૮૩ છતાં ન આવે વૈરાગ્ય !! આ તો વૈરાગ્ય જ નથી આવતો ! અલ્યા, આ વિષય પ્રિય છે કે તને આ ગાળો પ્રિય છે ? મને તો એક ગાળ કોઈએ દીધી હોય તો ફરી સંબંધ જ એની જોડે કટ કરી દઉં, પછી બહારનો સંબંધ રાખું પણ આંતરિક સંબંધ કટ ! કંઈ ગાળો ખાવા માટે આ અવતાર છે ? તમારે ઘરમાં રોજની ડખાડખ ના પસંદ હોય, તો પછી એની જોડે વિકારી સંબંધ જ બંધ કરી દેવો. પાશવતા બંધ કરી દેવી. વિષય તો હડહડતી પાશવતા છે. માટે આ પાશવતા બંધ કરી દેવી. બુદ્ધિશાળી સમજણવાળો હોય, તેને વિચાર ના આવે ? ફોટો લે તો કેવો દેખાય ? તો ય શરમ ના આવે ? મેં આવું કહ્યું ત્યારે વિચાર આવે, નહીં તો આવો વિચાર ક્યાંથી આવે ? અને જ્યાં સુધી તમારે વિકાર સંબંધ છે, ત્યાં સુધી આ ડખાડખ રહેવાની જ. એટલે અમે તમારી ડખાડખમાં વચ્ચે પડીએ જ નહીં. અમે જાણીએ કે વિકાર બંધ થશે, ત્યારે એની જોડ ડખો બંધ થઈ જ જાય. એક ફેરો એની જોડે વિકાર બંધ કરી દીધોને, પછી તો આ એમને મારે તો ય એ કશું ના બોલે. કારણ કે એ જાણે કે હવે મારી દશા બેસી જશે ! માટે આપણી ભૂલથી આ બધું ઊભું છે. આપણી ભૂલે જ આ બધાં દુઃખો છે. વીતરાગો કેવા ડાહ્યા ! ભગવાન મહાવીર તો ત્રીસ વર્ષે છુટાં થઈ ને હે...ય... મસ્તીમાં ફરતા હતા ! એક બેબીને મૂકીને ઠંડ્યા ! એની જોડે વિષય બંધ કર્યા સિવાય બીજો ઉપાય જ નથી. આ દુનિયામાં કોઈને આ સિવાય બીજો ઉપાય જડ્યો જ નથી. કારણ કે આ જગતમાં રાગ-દ્વેષનું મૂળ કારણ જ આ છે, મૌલિક કારણ જ આ છે. અહીંથી જ બધો રાગ-દ્વેષ ઊભો થયો. સંસાર બધો અહીંથી જ ઊભો થયો છે. એટલે સંસાર બંધ કરવો હોય તો અહીંથી જ બંધ કરી દેવો પડે. પછી કેરીઓ ખાવ, ફાવે એ ખાવને ! બાર રૂપિયે ડઝનવાળી કેરીઓ ખાવને, કોઈ પૂછનાર નથી. કારણ કે કેરીઓ સામો દાવો નહીં માંડે. તમે એને ના ખાવને, તો એ કંઈ કકળાટ નહીં કરે અને આ સંબંધમાં તો તમે કહેશો કે “મારે નથી જોઈતું.’ ત્યારે એ કહેશે કે, “ના, મારે તો જોઈએ જ છે.' એ કહેશે કે, “મારે સિનેમા જોવા જવું છે... ત્યારે તમે ન જાવ તો કકળાટ !!

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164