Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 93
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૧૪૯ હોય, તો છોકરાં સારા રહે કે ના રહે ? પ્રશ્નકર્તા : એકદમ. દાદાશ્રી : પછી કહેનાર ભલે ને બે દા'ડા બહારગામ ગયા હોય પણ આવશે ત્યારે શું કહેશે ? તેના જેવી વાત છે ! એટલે હમણાં તમે તમારી મેળે જ જુઓ. તમારા વિચારો સારા છે, એટલે પછી વળી છૂટું કરાવીએ. તમારે પોતાને જ ભાવના નથી એવી, મોહરૂપી ભાવ નથી ને આ તો બીજું દબાણરૂપી ભાવ છે. મોહ છૂટી ગયેલો છે. આવાં સજોડે બધાં બહુ આવેલા ઘણાં ! કારણ કે આ તો, ખાલી આપણું પુસ્તક જ વાંચે ને, એ વાંચીને જ પછી જે વૈરાગ છૂટે છે, તે ગમતું જ નથી. વિષય જ ગમતો નથી. પછી એ લોકો નાની ઉંમરમાં, બોલો, એ નિયમ લે છે. તો મેં કહ્યું, ‘તમે આ મુસીબતમાં મૂકાઈ જશો.’ ‘ના, ગમતું જ નથી હવે.’ બંને રાજીખુશીથી લે. છતાં ય ભૂલ બે-ત્રણ વખત થઈ જાય. કારણ દુષમકાળના જીવો છે ને ! ચોગરદમ બાઝેલાં જીવો. શી રીતે આખી રાત ઊંઘ આવે એ રીતે ? એવું છે આ ! આમાં સો ઘરોમાં બે ઘર પોતાને ઘેર કકળાટ ના થાય એવાં માણસો હશે. પણ તે ય એને ઉપાધિ તો હોય ને, પાડોશીવાળા લડતા હોય એટલે સાંભળ્યા જ કરવાનું ને ! એટલે એ તો નર્યો દુષમકાળ કહેવાય. આ તો જ્ઞાની પુરુષ પાસે આવ્યા એટલે ડાહ્યા થયા, નહીં તો ડાહ્યા ય શાનાં ? ગાંડામાં ય ગણતરી ના કરાય. ગાંડા ય કંઈક નિયમવાળા હોય. આમને તો નિયમ જ નહીં કોઈ જાતનો ? અહીં જ “બીવેર'નાં મરાયા બોર્ડ ! ૧૫૦ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જોઈએ ! કહેવું પડે આ તો, શૂરવીર છે આ તો બધા. મેં જાણ્યું કે નહીં ગમતું હોય. ગમ્યા વગર આંગળી ઊંચી કરે નહીં ને કોઈ ! મારી વાત ગમે છે એ વાત ચોક્કસ. એટલે પેલી ખુંચે છે એ વાતે ય ચોક્કસ ને ! હવે એનો કોઈ ઉપાય ધીમે ધીમે કરે. ચેતવણી આપું છું આ. બીવેર-બીવેર, બોર્ડ મારે છે ને ‘ બિર ઓફ થીસ’ એવું આ મેં બીવેર કહ્યું. ચેતો ચેતો. હજુ જીવતા છીએ ત્યાં સુધી થશે. છેલ્લાં દસ વર્ષ સારા જશે તો ય બહુ થઈ ગયું. વધારે ના જાય તો છેલ્લાં દસ-પંદર-વીસ વર્ષ સારા જાય તો ય બહુ થઈ ગયું. અત્યાર સુધી ગયા એ ગઈ ખોટ અને દાદાની આજ્ઞાથી શરૂ. વધારે ના થાય તો એક વર્ષ દહાડાનો અખતરો કરી જુઓ, ટ્રાયેલ. ટ્રાયલ જ આપું છું. કારણ કે બિચારા એ થઈ જાય તો ! પછી પાછો ફરી એસ્ટેન્શન કર્યા કરે. એકદમ ઉતાવળ નથી, હજુ વિચારીને આગળ વધજો. આ કૂવામાં પડવા જેવી ચીજ નથી. વિચારીને કરવાનું, આ લાંબો વિચાર કરવો. એ પણ આ તો વિચારજો કંઈ, વિચાર્યા વગર એમ ને એમ પાસે પડી રહે. એનો અર્થ શું છે ? દેવું ચઢ્યા જ કરે છે નિરંતર. વિચારો, મેં તમને છૂટ આપી છે એવું નથી. આ કંઈક રાગે પડે આ થોડું તો સારું ! આ જ્ઞાન ફરી મળતું નથી આવું ! આત્મા જુદો થઈ ગયો છે, હંડ્રેડ પરસેન્ટ ને રાતદહાડો મહીં સાક્ષી પૂરે છે અને ચેતવણી આપ્યા જ કરે છે ! એ ઓછી સાક્ષી કહેવાય ?! માટે ચેતો હવે, બહુ દહાડા થયા !! પ્રશ્નકર્તા : બંનેનો ભાવ થોડો થોડો થઈ ગયો છે. દાદાશ્રી : બહુ સારું. આ નર્યો ગંદવાડો છે. નર્યું દુઃખ. દેખતા ગંધ ને અડતા ગંધ. બધામાં ગંધ, ગંધ ને ગંધ. સંડાસ જ છે ને એ તો ! ગંદવાડો ગમે નહીં પણ છૂટકો જ નહીં ને ! ભાવ કરે તો વાંધો નહીં. પ્રશ્નકર્તા : પણ એમની ઈચ્છા એમ છે કે, દાદા પાસે માંગ્યા વગર છૂટી જવું જોઈએ. દાદાશ્રી : એ ઉત્તમ વસ્તુ. ખોટ ખાવાની ટેવ પડી હોય તો એ છૂટી જાય કે ના છૂટી જાય, મને પૂછ્યા વગર ? કે મને પૂછીને છૂટી જાય ? આ જ્ઞાન મળ્યા પછી તો હવે ચોખ્ખું મન થઈ ગયું, નહીં ? માટે આજથી વિચાર કરજો ભઈઓ ! બહુ વિચારવા જેવું છે, અમે કહીએ નહીં, કોઈ દહાડો તમને ઠપકો જ નહીં આપ્યો અને ઠપકો આપવા માટે અમારે નવરાશ જ નથી. આ તો તમને સમજાવીએ છીએ. ભૂલ ક્યાં થઈ રહી છે તે. કેમ પ્રગતિ નથી થતી ? જબરજસ્ત પુરુષાર્થ થઈ શકે, જ્ઞાન આપ્યું છે માટે, નહીં તો વાત કરાય જ નહીં. નહીં તો બિચારા એની શક્તિ શું ધારણ કરવાની ? આ સાધારણ ગમ્યું હોય તો આંગળી ઊંચી કરો

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164