Book Title: Bhakshyabhakshya Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Muktikamal Mohan Granthmala View full book textPage 9
________________ ધર્મબોધ-ચંથમાળા * પુષ્પ તે એ ચાંડાલનું લક્ષણ જાણવું. તાત્પર્ય કે–જેઓ ઉત્તમ કેટિના કે ઉચ્ચ વર્ણના હેવાને દા કરે છે, તેમનામાં સત્યની જિજ્ઞાસા, સત્યની પ્રીતિ અને સત્યને આગ્રહ જોઈએ. તેમનામાં તપની ભાવના, તપને આદર અને તપનું યથાશક્તિ અનુષ્ઠાન જોઈએ. વળી તેમની ઈદ્રિ તેફાની ઘેડા જેવી સ્વછંદી ન હોય, પણ પૂરેપૂરી કાબૂમાં હેય; તે જ રીતે તેમનાં હૃદયમાં દયા-કરુણુઅનુકંપાને ઝરે સતત વહેતે હેય. તે કઈ દીન-દુઃખીને પિતાની પાસે આવેલે જોઈને એમ ન કહે કે “તારાં કર્યાં તું જોગવ. અમારું માથું શીદને પકવે છે?” અથવા તે “અત્યારે તમે કયાંથી ફૂટી નીકળ્યા? પછી આવજે.” પરંતુ તેને આશ્વાસન આપીને એમ કહે કે “ભાઈ, ગભરાઈશ નહિ. તારું દુઃખ અવશ્ય દૂર થશે. સુખ પછી દુઃખની ઘટમાળ આ જગતમાં ચાલ્યા જ કરે છે, એટલે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ અવશ્ય આવે છે. અને તેને પિતાથી બનતી બધી મદદ કરવાને તત્પર થાય. એટલે કે તેનામાં દાનની વૃત્તિ પણ અવશ્ય હોય. તે જ રીતે તે ઊઠતા બેસતાં પ્રભુનું નામ લેનારે હોય, પ્રભુને યાદ કરનારો હોય અને તેની એક યા બીજી રીતે ઉપાસના કરનાર હોય. જે મનુષ્યમાં આવા ગુણે નથી, તે ગમે તે વર્ણમાં, ગમે તે કુળમાં કે ગમે તે જાતિમાં જન્મ્યા હોય છતાં લક્ષણથી ચાંડાલ જ છે. (૩) જીવનમાં આહારનું સ્થાન જીવનના સઘળા વ્યવહારમાં પહેલું સ્થાન આહારનું છે. તેથી જ શાસ્ત્રકાર મહર્ષિઓએ સંજ્ઞા અને પર્યાપ્તિઓની ગણનાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74