________________
૨૧ મુ
લેકશિક્ષણ
'
વસ્તુ એકે નથી, એ તેમણે લેાકેાને સમજાવવા માંડયુ. સરદારની અહિંસા ઉપર એક અણધારી દિશામાંથી ટીકા આવી છે કે સરદારનાં તીખાં અને ધગધગતાં ભાણામાં અહિંસા નહેતી. સરદારે તે સ્પષ્ટ કહ્યું છે કે આધ્યાત્મિક' અહિંસાને આ જન્મે પહોંચીશ કે નહિ તેની મને ખબર નથી, મને તેા વ્યાવહારિક અહિંસા આવડે છે, અને મારા જેવા જાડી બુદ્ધિના ખેડૂતા આગળ એવી જાડી અહિંસા જ મૂકું છું, સૂક્ષ્મ અહિંસા તેમનું ભાગ્ય હશે તા તેઓ આગળ ઉપર સમજશે. ભાષણાની ટીકા કરનારાને એટલું જ કહી શકાય કે એમનાં આકરાંમાં આકરાં ભાષણ પણ લેાકેાને શાંત રાખવાના હેતુથી પ્રેરાયેલાં હતાં. પણ આની ચર્ચા આ સ્થાને વધારે ન કરું. વીર વલ્લભભાઈ' નામના મારા પુસ્તકમાં આની જરા વિસ્તારથી મેં ચર્ચા કરી છે.
સરદાર લડતની કળામાં નિપુણ હતા એટલું જ નહિ. પેાતાના સૈનિકાનું જોર જાણતા હતા, અને તેના જોરનું માપ કાઢી કાઢીને આગળ પગલાં લેતા જતા હતા.