Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 11
________________ દેરક માનવી પરાધીન છે, અહીં બેઠેલો દરેક માનવી આવી જંજીરોમાં પૂરાયેલો છે. આમ માનીને જ, અહીં બેઠેલા દરેક ભાઈ-બહેને આ પ્રવચન સાંભળવાનું છે. આ પ્રવચન આ જેલના કેદીભાઈઓને માટે જ છે એમ ન માનશો, એ તો બધી જાતના કેદીઓ માટે છે. હું તો મારી જાતને-મને પોતાને પણ આવી વૃત્તિઓના કેદીઓમાંનો એક ગણું છું. પણ એ ક્યા અર્થમાં કેદી . વેરમાં, વિચારોની સંકુચિતતામાં વૃત્તિઓમાં! આ દેહની અંદર કેદ થયેલો આત્મા, શું શું નથી અનુભવતો? શું શું સહન નથી કરતો? . આજે આપણે એ વિચારવાનું છે કે માનવ એટલે કોણ ? એની કેદ એટલે શું? એ કેદી કેમ બન્યો? અને આ ભયંકર કેદમાંથી હવે એ કેવી રીતે મુક્ત બની શકે? * માનવ પાસે ત્રણ વસ્તુઓ છેઃ એક છે દેહ, બીજુ છે મન અને ત્રીજો છે આત્મા. આપણા બધાયની અંદર આ ત્રણ વસ્તુઓ છેઃ દેહ, મન અને આત્મા. આ ત્રણેનો ખોરાક, આ ત્રણેનો સ્વભાવ, આ ત્રણેની તાસીર જુદા જુદા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50