Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
જેન અંગ બાગમમાં પૂજા શબ્દનો અર્થ
દલસુખ માલવણિયા જૈન વિશ્વભારતી, લાડ દ્વારા પ્રકાશિત “આગમ શબ્દકોશ'માં જૈન અંગ આગમોમાં જે જે શબદ જ્યાં જ્યાં આવે છે તેને સંદર્ભ આપવામાં આવ્યો છે. આથી પૂજા, પૂજના, પૂજાથી જેવા શબ્દો અંગ આગમોમાં કયાં કયાં વપરાયા છે તે શોધી કાઢવાનું સરલ થાય છે. એટલે તેને આશ્રય લઈ અહીં પૂજાદિ શબ્દો અને તેના અર્થો જે ટીકાઓમાં આપવામાં આવ્યા છે તેનું તારણ આપવા પ્રયત્ન કર્યો છે.
ટીકાકારે તે પૂજને જે અર્થ કરે છે તેને પછી જોઈશું, પણ મૂળ સૂત્રમાંથી જ પૂજાને જે અર્થ ફલિત થાય છે-સ્પષ્ટ થાય છે તે સર્વ પ્રથમ જોઈએ.
સૂવકૃતાંગના બીજ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનમાં તૈર્થિકોની ચર્ચા કરવામાં આવી છે તેમાં લેકાથત કે ચાર્વાક કે શરીરને જ આત્મા માનનારના અનુયાયી પૂજા કઈ રીતે કરતા તેને સ્પષ્ટ નિર્દેશ મળે છે. તે પાઠ આ પ્રમાણે છે“તુમં પૂયયામિ, તે ગા-સળેખ વા વાળ વે હાફળ વ સાફમેન વા વા વા જાળ વા વા વા વાયjછળ વાટે આગોદય આવૃત્તિ પૃ. ૨૭૭. તેની દીલ્હીથી પ્રકાશિત ફોટો કોપી પૃ. ૧૮૫.
સ્પષ્ટ છે કે પૂજા એટલે પૂજ્યને અનાદિ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પગલૂછણિયું– આદિ આપવા તે જ પૂજા છે.
જ્યાં જ્યાં પૂજા શબ્દ અંગ આગમમાં આવે છે ત્યાં ટીકાકારે જે અર્થ કરે છે, તેનાં હવે કેટલાંક ઉદાહરણ જોઈએ.
સૂત્રકૃતાંગ (૧. ૧૪. ૧૧)માં પ્રાપ્ત પૂજા શબ્દને અર્થ ટીકાકાર આ પ્રમાણે કરે છે-“અચ્યુંચાનવિનચારિમિઃ પૂના વિધેતિ આગમો, પૃ. ૨૪૫; દીલ્હી પૃ. ૧૬૪.
સૂત્રકૃતાંગ (૧.૧૬૪)માં ““uથ વિ ળિયાંથો . પૂયાત્રામી? એવો પાઠ છે-તેની ટીકામાં જણાવ્યું છે–“નો પૂનાણા(ત્રામાથી વિનુ નિરપેક્ષી –આગમ૦ પૃ. ૨૬૫; દીલ્હી પૃ. ૧૭૭.
સ્થાનાંગમાં (આગમો૦ સુત્ર ૪૯ ૬) “છાળા સાવકો અતિ સુનાતે......મયંતિ તં વહાવૃતાંતરે ! છટા અવતો હિતામવંતિ સં.નવ પૂતાવારે તેની ટીકામાં શ્રી અભયદેવ જણાવે છે-“અનામવાન્ સપાય સુર્થ... પૂના હસ્તવાહિક, તપૂર્વ સારો વસ્ત્રમ્પર્વન, પૂનામાં વા બાઃ પૂજ્ઞાતિવાર રૂતિ આગમેપૃ. ૩૫૮; દીહી પૃ. ૨૩૯.
સ્થાનાંગમાં છદ્મસ્થની ઓળખ પ્રસંગે જણાવ્યું છે –“સત્તë હાર્દિ છ૩મર્થ જ્ઞા તૈ૦ વાળ કાપત્તા મવતિ...પૂતાનામgવત્તા મવતિ આગમ. સૂત્ર ૫૫૦. તેની ટીકામાં या प्रमाणे छे-पूजासत्कारं-पुष्पार्चन-वस्त्राद्यर्चने अनुबृहयिता-परेण स्वस्य क्रियमाणस्य तस्य જનગિતા, તદુમાવે દૂર્વાર્થ –આગમેપૃ. ૩૮૯; દીહી પૃ. ૨૬ ૦.
સ્થાનાંગમાં (સૂત્ર ૭૫૬) “ક્ષધિ સંનg ......પૂજાલંકારો – દશ પ્રકારે મનુષ્ય પ્રશંસાવ્યાપાર કરતા હોય છે તેમાંનું એક છે પૂજાશંસાપ્રયોગ. આની ટીકામાં શ્રી અભયદેવ લખે છે–“તથા પૂના-gsyiqqનં જે સ્થાતિ પૂMારસાકયોના આગમ૦ પૃ. ૫૧૫; દીલ્હી પૃ. ૩૪૪. ૧ આજકાલ જૈન સમાજમાં કેટલાક આચાર્યો જિન પ્રતિમાની જેમ પોતાનાં નવ અંગેની પૂજા કરાવે છે
અને તે વિશે સમાજમાં વિવાદ ચાલે છે, તે સંદર્ભમાં પ્રસ્તુત લેખ લખવાની ઈચ્છા થઈ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org