Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુભવ પ્રકાશ એ (જ) અનુભવ છે. અનુભવથી પંચ પરમગુરુ થયા અને થશે. તે પ્રસાદ (કૃપા, પ્રભાવ) અનુભવનો છે. અરિહંત, સિદ્ધ (પણ એ) અનુભવ-આચરણને સેવે છે, (સ્વરૂપ) અનુભવમાં અનંતગુણના સર્વરસ આવે છે. તે (અહીં) કહેવામાં આવે છે. ઉજ્ઞાનનો પ્રગટ પ્રકાશ અનંત ગુણોને જાણે. જ્ઞાનરૂપી વિશેષ ગુણને પરિણતિ પરિણમે, વેદ, આસ્વાદે. ત્યાં અનુપમ આનંદ ફળ નીપજે. એ પ્રમાણે દર્શનને પરિણતિ પરિણમેં, વેદ, આસ્વાદ, (અ) સુખફળ નીપજે. એ જ રીતે સર્વ ગુણોને (પરિણતિ ) પરિણમે, વેદ, આસ્વાદે, (જેમ ) આનંદ, અનંત, અખંડિત, અનુપમ-રસ (સહિત) ઊપજે. તેથી સર્વ ગુણોના રસનો પરિણતિ દ્વારા અનુભવ કરાવવામાં આવ્યો. એ જ પ્રમાણે દ્રવ્યને( પરિણતિ) પરિણમે, વેદ, આસ્વાદે, (અને) આનંદ પામે. ત્યારે પરિણતિ દ્વારા દ્રવ્યનો અનુભવ થયો. અનુભવપ્રકાશ, ગુણપરિણતિ એકરસ થતાં, થાય છે. (એ જ) વસ્તુનું સ્વરૂપ છે. (જે સર્વગુણ રસના પુનરૂપ છે) તે ચેતના ગુણનું સંક્ષેપમાત્ર (અહીં) વર્ણન કરવામાં આવે છે. સર્વ ગુણોમાં જ્ઞાન (ગુણ) પ્રધાન છે. શાથી? કે જ્ઞાન વિશેષચેતના છે. જ્ઞાન સર્વનું જ્ઞાતા છે. (તથા જ્ઞાન સૂક્ષ્મ છે). સૂક્ષ્મ ન હોત તો (તે) ઇન્દ્રિયગ્રાહ્ય હોત, તેથી સૂક્ષ્મતાવડ જ્ઞાનની સિદ્ધિ છે. સત્તાગુણ વિના સૂક્ષ્મ શાશ્વત ન હોત. વીર્યગુણ વિના સત્તાનું નિષ્પત્તિ સામર્થ્ય ક્યાંથી હોત? અગુરુલઘુગુણ વિના વીર્ય હલકું ભારે થતાં, જડતાને ધારણ કરત. પ્રમેયગુણ વિના અગુરુલઘુગુણનું ૧. પંચ પરમગુરુ જે ભયે, જે હોંગે જગમાહિ; તે અનુભપરસાદ તૈફ યા મેં ધોખો નહિ. ૧૫૪ ૨. ગુણ અનંત કે રસ સબં, અનુભૌ રસકે માંહિ; યાતેં અનુભૌ સારિખો, ઔર દુસરો નહિ. ૧૫૩. -જ્ઞાનદર્પણ ૩. પાઠાન્તર-જ્ઞાન પ્રાટ પ્રવાસ અનંત કુળવી પરિતિ પરવૈ, વેઢું, આસ્થા છરી ૪. પાઠાન્તર- અનુભવનો રસ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96