Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 81
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુભવ પ્રકાશ ૬૭ જે ગુણનું આવરણ જાય તે ગુણ (સર્વથા) શુદ્ધ થાય માટે (સમ્યક્રગુણ) કિંચિત (શુદ્ધ) પણ બનતો નથી. તો કેવી રીતે છે? તેનું સમાધાન કરવામાં આવે છે - તે આવરણ તો ગયું પણ સર્વ ગુણો સર્વથા સમ્યક્ થયા નથી. આવરણ જવાથી સર્વ ગુણો સર્વથા સમ્યક ન થયા તેથી પરમ સમ્યક નથી. સર્વ ગુણો સાક્ષાત્ સર્વથા શુદ્ધ સમ્યક થાય ત્યારે “પરમ સમ્યક્” એવું નામ હોય. વિવક્ષાપ્રમાણથી કથનપ્રમાણ છે, તે દર્શન પ્રત્યેની પૌઢાલિક સ્થિતિ જ્યારે નાશ થઈ ત્યારે જ આ જીવનો જે સમ્યકત્વગુણ મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો તે સમ્યકત્વગુણ સંપૂર્ણ સ્વભાવરૂપ થઈ પરિણમ્યો, -પ્રગટ થયો. ચેતન-અચેતનની જુદી પ્રતીતિથી સમ્યકત્વગુણ નિજજાતિસ્વરૂપ થઈ પરિણમ્યો, તેનું લક્ષણ, જ્ઞાનગુણ અનંતશક્તિદ્વારા વિકારરૂપ થઈ રહ્યો હતો, તે ગુણની અનંતશક્તિમાં કેટલીક શક્તિ પ્રગટ થઈ. સામાન્યથી તેનું નામ મશ્રિત થયું કહીએ, અથવા નિશ્ચયશ્રુતજ્ઞાનપર્યાય કહીએ, જઘન્યજ્ઞાન કહીએ, જ્ઞાનની બાકીની સર્વ શક્તિ રહી તે અજ્ઞાનવિકારરૂપ હોય છે. એ વિકારશક્તિને કર્મધારારૂપ કહીએ તે જ પ્રમાણે જીવની દર્શનશક્તિ અદર્શનરૂપ રહી છે. તે જ પ્રમાણે જીવના ચારિત્રની કેટલીક શક્તિ ચારિત્રરૂપ અને બાકીની કેટલીક શક્તિ વિકારરૂપ છે. એવી રીતે ભોગગુણનું (સમજવું), સર્વગુણ જેટલા નિરાવરણ તેટલા શુદ્ધ, બાકીનો વિકાર, તે બધો મિશ્રભાવ થયો. પ્રતીતિરૂપ જ્ઞાનમાં સર્વશુદ્ધશ્રદ્ધાભાવ થયો છે, પણ જ્ઞાનને તથા બીજા ગુણોને આવરણ લાગ્યું છે માટે મિશ્રભાવ છે, સ્વસંવેદન છે, પણ સર્વપ્રત્યક્ષ નથી. સર્વ કર્મ-અંશ ગયે શુદ્ધ છે અઘાતિ રહ્ય (પણ) શુદ્ધ છે. ઘાતિયાના નાશથી જ સકલ પરમાત્મા છે. પ્રત્યક્ષ જ્ઞાન તો થયું છે. .............. હિનમેં ધાતિ નિવારી; શ્રી અરહંત સકલ પરમાત્મા, લોકાલોક નિહારી, જ્ઞાનશરીરી ત્રિવિધિ કર્મમલ, વર્જિત સિદ્ધ મહંતા; તે હૈં નિકલ અમલ પરમાતમ, ભોગેશર્મ અનંતા. -છઢાલા, પં. દૌલતરામ. Please inform us of any errors on [email protected]

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96