Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પર્વની સમાપ્તિની ભાવના સમજી લેવી. અહીં અયનને શધિત કરવાથી જેટલા દિવસે કહ્યા છે એટલી સંખ્યાવાળા રૂપાધિક મંડળમાં એ ઈચ્છિત પર્વ સમાપ્ત થાય છે. આ રીતે આ કરણગાથાનો અર્થ છે.
આને ભાવાર્થ આ પ્રમાણે છે –અહીયાં કયું પર્વ કયા મંડળમાં સમાપ્ત થાય છે તે જાણવું હોય તે તે પર્વની સખ્યા કહેવી. સંખ્યા કહીને તેને પંદરથી ગુણવા, ગુણાકાર કરીને રૂપાધિક કરે એટલે કે સંખ્યા તેમાં ઉમેરે પછી સંભાવિત અમાસની રાત્રિ કમ કરવી, પછી તેનાથી એક વ્યાશીથી ભાગ કર જે ભાગ આવે એને અયન સંખ્યા સમજવી, તથા પછી જે દિવસ સંખ્યા રહે છે, તે છેલલા મંડળમાં વિવક્ષિત પર્વની સમાપ્તિમાં ઉપયોગી થાય છે, તેમ સમજવું. ઉત્તરાયણું ચાલતું હોય તે બાહ્યમંડળને પહેલા લેવું, અને દક્ષિણાયન હોય તે સભ્યતરમંડળને પહેલું ગણવું. આ રીતે આ ગાથાનો ભાવાર્થ છે. હવે આની ભાવના બતાવવામાં આવે છે–કઈ પૂછે છે કે ક્યા મંડળમાં રહીને સૂર્ય યુગના પહેલા પર્વને સમાપ્ત કરે છે? અહીંયાં પહેલું પર્વ પૂછવાથી એકની સંખ્યા લેવી એકને પંદરથી ગુણવાથી પંદર જ રહે છે, આમાં એક પણ અમાસની રાત્રી હોતી નથી. તેથી કંઈ ઉમેરવામાં આવતું નથી, એ પંદરને રૂપધિક કરે તે મેળ થાય છે, યુગની આદિમાં પહેલું પર્વ દક્ષિણાયનમાં હોય છે, તેથી સવંત્યંતર મંડળ આવે છે, તેને પ્રથમ ગણીને સળમાં મંડળમાં પહેલું પર્વ સમાપ્ત થાય છે. બીજું કઈ પૂછે છે કે શું પર્વ કયા મંડળમાં રહીને સૂર્ય સમાપ્ત કરે છે? અહીંયાં ચોથું મંડળ કહેલ છે, તેથી ચારની સંખ્યા લેવામાં આવે છે, તેને પંદરથી ગુણવા ૪+૧૫=૬તે સાઠ થાય છે, આટલા કાળમાં એક અમાસની રાત્રી થઈ જાય છે, તેથી એક કામ કરે ૬૦-૧=૫૯ તે ઓગણસાઠ રહે છે. એ સંખ્યામાં એક રૂપાધિક કરવું. પ૧=૬ ને સાઠ થઈ જાય છે. તેથી સભ્યન્તર મંડળ આવે છે. તેને પ્રથમ કરીને સાઈડમાં મંડળમાં ચોથું પર્વ સમાપ્ત થાય છે. એ જ રીતે પચીસમા પર્વની સમાપ્તિની વિચારણુમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૩
Go To INDEX