Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧
જે પદોનો અર્થ-તાત્પર્ય એક હોય તેને પણ એકાર્થક કહેવાય છે. પ્રથમ ચાર પદ ઉત્પાદ પર્યાયની અપેક્ષાએ એક છે.
પ્રથમના ચારે પદ ઘાતિ કર્મોનો નાશ કરીને કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. કેવળજ્ઞાનની ઉત્પત્તિ પક્ષની અપેક્ષાએ તે ચારે પદ એકાર્થક છે. ચારે પદની પ્રવૃત્તિ ક્રમયુક્ત હોવા છતાં પણ એક જ અંતઃમુહૂર્તમાં પ્રવૃત્ત થાય છે. તેમાં 'ચલમાણે ચલિએ' તે પદ કર્મને ઉદયમાં આવવા માટે ચલિત કરે છે. કર્મનો ઉદય બે પ્રકારે થાય, સ્થિતિ પૂર્ણ થતાં અને સ્થિતિ પૂર્ણ થયા પહેલાં પ્રયત્ન વિશેષથી ખેંચીને ઉદીરણા દ્વારા ઉદયમાં લાવવા તે. આ બંને પ્રકારે ઉદયમાં આવેલા કર્મોનો અનુભવ કરવો તેને વેદન કહેવાય અને જે કર્મનું વદન થઈ જાય, તે કર્મ નષ્ટ થઈ જાય છે અર્થાત્ આત્મપ્રદેશોથી પૃથક થઈ જાય છે. તેને જ કર્મનું પ્રહણ થવું કહેવાય છે. આ ચારે પદ ઘાતિકર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પ્રગટ કરે છે. તેથી ઉત્પત્તિ પક્ષની અપેક્ષાએ ચારે પદ એકાર્થક છે.
કોઈ આચાર્યના અભિપ્રાય આ ચારે પદો સ્થિતિબંધ આદિ વિશેષતાથી રહિત હોવાથી અર્થાતુ સામાન્ય રીતે કર્મને આશ્રિત હોવાથી એકાર્થક છે.
અંતિમ પાંચ પદ વિગતપદની અપેક્ષાએ ભિન્નાર્થક છે.
છિન્નમને uિm :- આ પદ સ્થિતિઘાતની અપેક્ષાએ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી કેવળી ભગવાન યોગનિરોધની સન્મુખ થાય ત્યારે વેદનીય, નામ, ગોત્ર કર્મની દીર્ઘકાળની સ્થિતિને અપવર્તનાકરણ દ્વારા હસ્વકાળની બનાવે છે. કર્મોના આ સ્થિતિઘાતને છેદન કહે છે.
fમાણે fમv :- અપવર્તના કરણ દ્વારા કર્મોના રસને હીન કરવો તેને ભેદન કહે છે. કર્મોની સ્થિતિના ઘાત સાથે રસનો પણ ઘાત થાય છે. કર્મોની સ્થિતિ અને રસનો ઘાત એક સાથે જ થાય છે. તેમ છતાં સ્થિતિ અને રસના ખંડ ભિન્ન ભિન્ન હોય છે. સ્થિતિના ખંડથી રસના ખંડ અનંતગુણા છે, તેથી છેદન અને ભેદન બે ક્રિયા ભિન્ન છે.
ડેમો :- આ પદ પ્રદેશબંધના ઘાતની અપેક્ષાએ છે. અનંતાનંત કર્મપ્રદેશોને અકર્મરૂપમાં પરિણત કરવા, તેને કર્મનો દાહ અર્થાત્ બાળવું કહેવાય. ૧૪ મા ગુણસ્થાને અસંખ્ય સમયની ગુણશ્રેણીની રચના દ્વારા કર્મપ્રદેશોનો ક્ષય કરાય છે. તે ગુણ શ્રેણીમાં પ્રથમ સમયથી અંતિમ સમય પર્યત ક્રમથી અસંખ્યાત ગુણની વૃદ્ધિએ કર્મ પુદ્ગલનો દાહ થાય છે. આ પ્રકારનો દાહ શેલેશી અવસ્થામાં શુકલધ્યાનનો ચોથો ભેદ સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી નામક ધ્યાનાગ્નિ દ્વારા થાય છે. મિળમા મટે :- આ પદથી આયુષ્ય કર્મના ક્ષયનું નિરૂપણ કર્યું છે. પ્રત્યેક સંસારી જીવને જન્મ-મરણ થાય છે. તેમાં અહીં અંતિમ મરણનું ગ્રહણ કર્યું છે. જે મોક્ષ પ્રાપ્તિ પહેલા થાય છે. નિરિઝમને ળિUM :- સમસ્ત કર્મોને અકર્મ રૂપમાં પરિણત કરવા, તેને નિર્જરા કહે છે. આ સ્થિતિ સંસારી જીવે કદાપિ પ્રાપ્ત કરી નથી, સમસ્ત કર્મોની નિર્જરા તે આત્માની અપૂર્વ સ્થિતિ છે.