Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ક્રોધ નામના છઠ્ઠા પાપસ્થાનકની સઝાય ક્રોધી મુખે કટુ બોલણા, કંટકીઆ કુટ્ટ સાખી રે ! અદીઠ કલ્યાણકરા કહ્યા, દોષ-તરૂ સાખી રે || ૭ |
શબ્દાર્થ - કટુ બોલરા-કડવાં વચન બોલવાં, કટકીઆ - કાંટાની જેમ ખૂંચે એવા વચનો બોલવાં, કુટ સાખી - ખોટી સાક્ષી ભરવી, અદીઠ-આવાનું મીલન (દર્શન) ન થાય તે જ, કલ્યાણકરા - કલ્યાણને કરનારું, દોષતા - દોષોનું વૃક્ષ, શતસાખી - સો શાખાવાળું. || ૭ ||
ગાથાર્થ - ક્રોધી માણસના મુખમાં (૧) કડવાં વચન બોલવાં, (૨) કાંટાની જેમ ખુંચે તેવાં વ્યંગ વચન બોલવાં (૩) ખોટી સાક્ષી ભરવી, આ સ્વભાવો સહજપણે જ હોય છે. તેઓનું મીલન (દર્શન) ન થાય તે જ કલ્યાણ કરનારું સમજવું. કારણ કે આવા જીવો દોષોના સો શાખાવાળા વૃક્ષતુલ્ય હોય છે. [ ૭ II
વિવેચન - જે માણસો બહુ જ ગુસ્સાના આવેશમાં હોય છે ક્રોધથી ધમધમેલા મુખવાળા હોય છે તેઓના મુખમાં (૧) કડવાં વચનો બોલવાં, ઝેર ભરેલાં વ્યંગ વચનો બોલવાં (૨) કાંટાની જેમ સાંભળનારાને ખેંચી જાય એવાં વ્યંગ વચન બોલવાં, મેણાં-ટોણાં બોલવાં, કટાક્ષ વચન બોલવાં, (૩) ખોટી સાક્ષી ભરવી-ખોટી વકીલાત કરવી. આવું આવું દોષોથી ભરેલું વર્તન સહજપણે જ હોય છે. તે જીવોનાં મન-વચન-કાયા આ ત્રણે યોગો આવા પાપો કરવાને સહજપણે જ ટેવાયેલાં હોય છે. આવાં વચનો બોલવાં તે ક્રોધનું કાર્ય છે. ક્રોધી માણસમાં હંમેશાં આવા પ્રકારની પાપયુક્ત જ વાણી-વિચાર અને વર્તન હોય છે. તેથી તેનો સમાગમ ન થાય એ જ હિતકારી છે અર્થાત્ તેનું અદર્શન એ જ કલ્યાણને કરનારું કહ્યું છે કારણ કે ક્રોધી માણસ એ દોષોનું બનેલું એક વૃક્ષ જ છે જેની નાની-મોટી સેંકડો શાખાઓ છે એટલે કે આ ક્રોધી માણસ નાના-મોટા અનેક દોષોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org