Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 27
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાંચ અણુવ્રત ૧. અહિંસાણુવ્રત – હિંસાભાવના સ્થૂળરૂપ ત્યાગને અહિંસાણુવ્રત કહે છે. એને સમજવા માટે પહેલાં હિંસાને સમજવી આવશ્યક છે. કપાયભાવ ઉત્પન્ન થતાં આત્માના ઉપયોગની શુદ્ધતા (શુદ્ધોપયોગ)નો ઘાત થવો તે ભાવહિંસા છે અને ઉક્ત કપાયભાવ જેમાં નિમિત્ત છે એવા પોતાના અને પરના દ્રવ્યપ્રાણનો ઘાત થવો તે દ્રવ્યહિંસા છે. શ્રી અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થસિદ્ધયુપાય નામના ગ્રંથમાં લખ્યું છે –“આત્મામાં રાગાદિ દોષોનું ઉત્પન્ન થવું તે જ હિંસા છે અને તેમનું ઉપન્ન ન થવું તે જ અહિંસા છે.” જો કોઈ માણસ રાગ-દ્વેષાદિ ભાવ ન કરે, અત્યંત યોગ્ય આચરણ કરે અને સાવધાની રાખે છતાં પણ જો કોઈ જીવનો ઘાત થઈ જાય તો તે હિંસા નથી. તેનાથી વિપરીત, કોઈ જીવ અંતરંગમાં કપાયભાવ રાખે અને બાહ્યમાં પણ અસાવધાન રહે પરંતુ તેના નિમિત્તે કોઈ જીવનો ઘાત નયે થયો હોય તો પણ તે હિંસક છે. સારાંશ એ છે કે હિંસા અને અહિંસાનો નિર્ણય પ્રાણીના મરવા કે ન મરવા વડે નથી, રાગાદિ ભાવોની ઉત્પત્તિ અને અનુત્પત્તિ વડે છે. નિમિત્તના ભેદથી હિંસા ચાર પ્રકારની છે :(૧) સંકલ્પી હિંસા, (ર) ઉધોગી હિંસા, (૩) આરંભી હિંસા અને (૪) વિરોધી હિંસા. જેમાં કેવળ નિર્દય પરિણામ જ હેતુ હોય એવા સંકલ્પ (ઈરાદા) પૂર્વક કરવામાં આવતા પ્રાણઘાત તે જ સંકલ્પી હિંસા છે. વ્યાપારાદિ કાર્યોમાં તથા ગૃહસ્થનાં આરંભાદિ કાર્યોમાં સાવધાનીથી વર્તવા છતાં પણ જે હિંસા થઈ જાય છે, તે ઉદ્યોગી અને આરંભી હિંસા છે. પોતાના તથા પોતાના કુટુંબ, ધર્મના સ્થાનો વગેરે પર કરવામાં આવેલા આક્રમણથી રક્ષણ કરવાને માટે અનિચ્છાપૂર્વક કરવામાં આવેલી હિંસા તે વિરોધી હિંસા છે. * अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति। तेषामेवोत्पत्तिहिंसेति जिनागमस्य संक्षेपः ।।४४ ।। ૨૨ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55