Book Title: Vinay Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે અનેક રીતે વિનયનું પ્રાધાન્ય વર્ણવ્યું. એનો વિચાર કરીએ તો વિનયની ઉપાદેયતા કે મુખ્યતાના વિષયમાં શઠ્ઠા પડવાનું ખરેખર જ કોઈ કારણ નથી. પરંતુ વિનય કરવા માટે સૌથી પ્રથમ ગુરુકુળવાસમાં રહેવું આવશ્યક છે. પણ કેટલાક પોતાની ઈચ્છા મુજબ જીવનારા સાધુઓ માનતા હોય છે કે-“ગુરુકુળવાસમાં રહેવાથી ભિક્ષાસંબંધી, વસતિસંબંધી કે સ્વાધ્યાયાદિસંબંધી અનેક દોષો લાગે છે. તેથી વિનય કરતાં પણ શુદ્ધચ્છા, નિર્દોષ વસતિ અને સ્વાધ્યાય વગેરેનું પ્રાધાન્ય છે અને તેથી તેઓ વિનયને ગૌણ કરી શુદ્ધચ્છાદિમાં તત્પર રહે છે, ગુરુકુળવાસનો ત્યાગ કરે છે તેમ જ વિનયથી વિમુખ થાય છે. આવા સાધુઓ ગમે તેટલું ઉત્કૃષ્ટ ચારિત્ર પાળતા હોય તો પણ ખરેખર તો આગળ થઈને અર્થાત્ મોખરે રહીને તેઓ મોક્ષમાર્ગનો લોપ કરે છે. મોક્ષમાર્ગનો નાશ કરવા માટે નેતૃત્વ ધારણ કરે છે. ગુરુકુળવાસાદિસ્વરૂપ વિનયથી રહિત શુદ્ધભિક્ષા, નિદૉષ વસતિ, ઉગ્રતા-વિહાર અને સ્વાધ્યાયાપ્રમત્તતાદિ ગુણો પણ ધર્માભાસ(ગુણાભાસ)સ્વરૂપ છે, વાસ્તવિક નથી. આભાસિક ધર્મથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ઉપરથી મોક્ષમાર્ગનો લોપ થાય છે. છઠ્ઠ અઠ્ઠમ આદિ તપની આરાધના કરે પણ ગુરુદેવશ્રીના વચનને ન માને તો તે જીવોનો અનંત સંસાર વધે છે. ગમે તેટલા બહુશ્રુત હોય

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50