Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
છે તેઉકાયશરીરનું ઉપાદાન અનિયત-સૂયગડાંગ સૂત્ર છે
બલ્બમાં રહેલા ફિલામેન્ટમાં તેઉકાયના જીવોની ઉત્પત્તિ માનવામાં કોઈ શાસ્ત્રીય ખાધ પણ આવતો નથી. કારણ કે ત્રણ કે સ્થાવર કોઈ પણ જીવના સચિત્ત કે અચિત્ત શરીરમાં તથાવિધ કર્મવશ તેઉકાયના જીવો ઉત્પન્ન થઈ શકે છે. એવું સૂયગડાંગસૂત્રમાં જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો- “રૂાતિયા સT નાનાવિનોળિયા जाव कम्मनियाणेणं तत्थ वुक्कमा नानाविहाणं तस-थावराणं पाणाणं सरीरेसु સવિત્ત વા વિત્ત, વ HTTળવાયત્તા, વિક્રુતિ' (સૂય શ્રુતસ્કંધર(અધ્યયન ૩ સૂત્ર-૧૭) મતલબ કે પાણી વગેરે જીવો ચોક્સ પ્રકારના પુદ્ગલને જ શરીર રૂપે સ્વીકારે છે. પરંતુ તેવો નિયમ અગ્નિકાયના જીવો માટે આગમમાન્ય નથી. ગેસ, લાકડા, રૂ, કાગળ, પ્લાસ્ટીક, પેટ્રોલ, ઓઈલ, ઘી, તેલ, માટી, પત્થર, ઈંટ, કેરોસીન, કાપડ, રબર, કોલસા, ઘાસ, રસાયણો, મડદા, લોખંડ, પ્રકાશસ્વરૂપ (ઉજેણીરૂપ) ફોટોન વગેરેને પોતાના શરીરરૂપે સ્વીકારીને તેમાં તેઉકાય જીવો ઉત્પન્ન થતા દેખાય જ છે. અગ્નિકાયના જીવો ગેસ-લાકડા વગેરે વિવિધ પદાર્થોને પોતાની યોનિસ્વરૂપે બનાવીને તેમાં ઉત્પન્ન થાય છે. માટે ફિલામેન્ટ વગેરેમાં તેઉકાય જીવોની ઉત્પત્તિ માની શકાય છે. ખરેખર, સૂયગડાંગસૂત્રની ઉપરોકત વાત શ્રીમહાવીરસ્વામી ભગવાનની સર્વજ્ઞતા સિદ્ધ કરવા માટે એક મહત્ત્વનું પાસુ ગણી શકાય તેમ છે. છે તેઉકાય અને તેનો પ્રકાશ એક છે-તત્વાર્થવૃતિ છે
તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યામાં શ્રીસિદ્ધસેનગણીવરશ્રી તો સ્પષ્ટપણે કહે છે કે તેન:પ્રાશયોરન્વાખ્યુમાન્ !' (૫/૨૪) અર્થાત્ તેઉકાય (=દીવાની જ્યોત વગેરે) અને તેનો પ્રકાશ (= ઉજેણી = કૃત્રિમ પ્રકાશ) બન્ને એક જ ચીજ છે- એવું શાસ્ત્રમાન્ય છે. માટે ‘બલ્બમાં
૫ o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org