Book Title: Trilok Tirth Vandana
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 95
________________ Shri Mahavir Jain Aradhana Kendra સામે ચોદ રાજલોકમાંથી જુદુ કરી ઉર્ધ્વલોકનું સ્વતંત્ર ચિત્ર આપેલ છે. તેમાં પણ ત્રસનાડી વિશિષ્ટ રીતે બતાવી છે. આમાં સૌથી નીચે અસંખ્ય દ્વીપ સમુદ્રમય તિÁલોક છે. તેની ઉપર ૧લો રાજ પૂર્ણ થતાં ૧લા ૨જા દેવલોકના વિમાનો એક જ લેવલમાં છે તથા તેમાં જિનમંદિરો રહેલા છે. દક્ષિણ દિશામાં ૧લો દેવલોક છે. ઉત્તર દિશામાં ૨જો દેવલોક છે. ઉ ધ્વ ઈ લો લો ક ૧લા દેવલોકમાં ૩૨ લાખ વિમાનો છે. દરેકમાં એક એક જિનમંદિર હોઇ કુલ ૩૨ લાખ શાશ્વત ચૈત્યો છે. દરેક ચૈત્યમાં ૧૮૦ જિનબિંબો છે. એટલે કુલ ૫,૭૬૦ લાખ એટલે કે ૫૭ ક્રોડ 90 લાખ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણું... આ પ્રતિમાજી ઋષભ, ચંદ્રાનન, વારિપેણ અને વર્ધમાન નામના હોય છે. સર્વત્ર શાશ્વત ચૈત્યોમાં આ જાણવું. • ૨ જા દેવલોકમાં આજ રીતે ૨૮ લાખ વિમાનોમાં કુલ ૨૮ લાખ ચૈત્યો છે. તે દરેકમાં ૧૮૦ શાશ્વત જિનપ્રતિમાજી હોઈ કુલ ૫,૦૪૦ લાખ એટલે કે ૫૦ ક્રોડ ૪૦ લાખ જિનેશ્વર ભગવંતોને મારી ભાવભરી વંદના... નમો જિણાણું... 11 વલા ૨જા દેવલોકની ઉપર વળી એક રાજલોક જતાં ઉર્ધ્વલોકમાં બીજા રાજના અંતે એક જ લેવલમાં ત્રીજો ચોથો દેવલોક છે. ત્રીજો દેવલોક દક્ષિણ તરફ છે, ચોથો દેવલોક ઉત્તર તરફ છે. ત્રીજા દેવલોકમાં ૧૨ લાખ વિમાનોમાં કુલ ૧૨ લાખ શાશ્વત જિનમંદિરો છે. દરેકમાં ૧૮૦ જિનપ્રતિમાજી હોઈ કુલ ૨,૧૬૦ લાખ એટલે ૨૧ ક્રોડ ૬૦ લાખ જિન પ્રતિમાજીઓને મારી ભાવભરી વંદના... નમો જિણાણું... (બાર દેવલોક સુધી પ્રત્યેક ચૈત્યમાં ૧૮૦ જિનપ્રતિમાઓ છે.) આજ રીતે ચોથા દેવલોકમાં ૮ લાખ વિમાનોમાં ૮ લાખ જિનમંદિરો છે. તેમાં બિરાજમાન કુલ ૧,૪૪૦ લાખ એટલે ૧૪ ક્રોડ ૪૦ લાખ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણું... વળી અહીંથી (૩જા ૪થા દેવલોકથી) ના રાજ ઉંચે જઈએ એટલે પાંચમો દેવલોક એક જ સપાટીએ છે. તેમાં ચાર લાખ વિમાનોમાં ચાર લાખ જિનમંદિરો છે. તેમાં બિરાજમાન ૭૨૦ લાખ એટલે કે ૭ ક્રોડ ૨૦ લાખ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નો જિણાણું... પાંચમા દેવલોકથી વળી જા રાજ ઉપર એટલે ઉર્ધ્વલોકના ૩જા રાજલોકે પહોંચતા છટ્ઠો દેવલોક આવે છે. અહીં ૫૦ હજાર દેવિમાનોમાં તેટલા જ શાશ્વત ચૈત્યો છે. કુલ ૯૦ લાખ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણું... છટ્ઠા દેવલોકથી વળી બા રાજ ઉપર જતા ૭મો દેવલોક આવે છે. અહીં કુલ ૪૦ હજાર દેવ વિમાનો છે. તેમાં તેટલા જ શાશ્વત ચેત્યો છે. તેમાં બિરાજમાન ૭૨ લાખ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણું... ૭મા દેવલોકથી વળી બા રાજ ઉપર જતાં એટલે કુલ ચોથા રાજના અંતે ૮મો દેવલોક આવે છે. આમાં છ હજાર દેવવિમાનોમાં છ હજાર જિનચૈત્યો છે. તેમાં બિરાજમાન ૧૦ લાખ ૮૦ હજાર જિનપ્રતિમાજીને મારી ભાવભરી વંદન...નમો જિણાણાં... A ૮મા દેવલોકથી બા રાજ ઉપર જતા નવમો દશમો દેવલોક એક જ સપાટીએ છે. તેમાં દક્ષિણ તરફ ૯મો દેવલોક છે. ઉત્તર તરફ ૧૦મો દેવલોક છે. નવમા તથા દેશમા દેવલોકમાં બેમાં ભેગા થઈ કુલ ૪૦૦ વિમાનો અને ૪૦૦ જિનમંદિરો છે. દરેકમાં ૧૮૦ જિનપ્રતિમાજી હોઈ કુલ ૭૨,૦૦૦ જિનબિંબો છે, તે સર્વને મારી ભાવભરી વંદના... નમો જિણાણું... ૯-૧૦મા દેવલોકથી અડધા રાજ ઉપર એટલે ઉર્ધ્વલોકમાં N www.kathitirth.org A ચૈ ત્યો ૫મા રાજના અંતે ૧૧-૧૨મો દેવલોક એક જ સપાટીએ છે. દક્ષિણમાં ૧૧મો દેવલોક છે. ઉત્તરમાં ૧૨મો દેવલોક છે. બંનેમાં થઈ કુલ ૩૦૦ વિમાનો અને ૩૦૦ જિનમંદિરો છે. તેના કુલ ૫૪,૦૦૦ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણું... વ Acharya Shri Kalassagarsuri Oyanmandir E ना ૧૧-૧૨મા દેવલોકની ઉપર ૧ રાજ જેટલુ જઈએ એટલે ઉર્ધ્વલોકના છઠ્ઠા રાજના છેડે નવગ્રેવેયકના વિમાનો આવે છે. નવે શૈવેયકના થઈ કુલ ૩૧૮ જિનચૈત્યો છે. દરેક ચૈત્યમાં ૧૨૦ જિનપ્રતિમા છે. તેમાં રહેલા ૩૮,૧૬૦ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણું... નવ ચૈવેયકથી એક રાજલોક ઉપર એટલે ઉર્ધ્વલોકના ૭મા રાજના છેડે પાંચ અનુત્તરવાસી દેવના વિમાનો છે. ચાર દિશામાં ચારે બાજુ એક એક વિમાન છે. વચ્ચે ૧ લાખ યોજનનું સર્વાર્થસિદ્ધ વિમાન છે. પાંચે વિમાનો એકજ લેવલમાં છે. એવા પાંચે વિમાનમાં એક એક ચૈત્ય હોઈ કુલ પાંચ શાશ્વત ચેત્યોમાં બિરાજમાન ૬૦૦ જિન પ્રતિમાજીને મારી ભાવભરી વંદના... નમો જિણાણ.. આમ ઉર્ધ્વલોકમાં કુલ ૮૪,૯૭,૦૨૩ શાશ્વત જિન ચૈત્યો થયા. તથા તેમાં કુલ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ એક અબજ બાવન ક્રોક, ચોરાણુ લાખ, ચુમાલીશ હજાર, સાતસો સાઈઠ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણું... પાંચ અનુત્તર દેવના વિમાનોથી માત્ર ૧૨ યોજન દૂર જ સિદ્ધશિલા છે. જે ૪૫ લાખ યોજન લાંબી પહોળી છે. જે મધ્યમાં ૮ યોજન જાડી છે તથા બંને છેડે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી થાય છે. ઉપર અનંતા સિદ્ધ પરમાત્માના શુદ્ધાત્માઓ શાશ્વત સુખોને ભોગવતા અનંત જ્ઞાનાદિ ગુણોથી યુક્ત બિરાજમાન છે. હું પણ શીઘ્રાતિશીઘ્ર આ સિદ્ધશિલા પર સિદ્ધપણાને પામીને પહોંચી જાઉં તેવા જ એક શુદ્ધ ભાવથી અનંતા સિદ્ધ ભગવંતોને ભાવપૂર્વક વંદન કરું છું... નમો સિદ્ધાણું... For Private and Personal Use Only બાર દેવલોક સુધીના દરેક શાશ્વત ચૈત્યોમાં ૧૮૦ જિનબિંબો છે. શાશ્વત ચૈત્યોની મધ્યમાં એક મણિપીઠિકા હોય છે. આ મણિપીઠિકા ઉપર એક દેવછંદક હોય છે. આ દેવછંદકની ઉપર ચારે દિશામાં રત્નસિંહાસન ઉપર રહેલી શ્રી અરિહંત પરમાત્માની ૨૭૨૭ શાશ્વત પ્રતિમાઓ છે. આ રીતે ૧૦૮ જિનબિંબો થયા અને ચૈત્યોની પશ્ચિમ સિવાયની ત્રણ દિશામાં ચૌમુખજી હોય છે. તેથી ૧૨૦ જિનબિંબ થયા. જ્યાં ૧૨૦ જિનબિંબનું કથન હોય ત્યાં આ પ્રમાણે સમજવું. દેવલોકમાં ચૈત્યોની પછી ઉપપાત, અભિષેક, અલંકાર, વ્યવસાય, સુધર્મ નામની ૫ સભાઓ હોય છે. ત્યાં પણ પશ્ચિમ સિવાયની ૩ દિશામાં ૧-૧ ચોમુખજી થતાં ૧૨ x ૫ = ૬૦ જિનબિંબો. જ્યાં જ્યાં ૧૮૦ જિનબિંબોનું કથન હોય ત્યાં પૂર્વવત્ ૧૨૦ + ૬૦ (૫ સભાના) = ૧૮૦ જિનબિંબ થાય. જ્યારે નવગ્રેવેયક તથા ૫ અનુત્તરમાં સભાઓ ન હોવાથી માત્ર ૧૨૦ પ્રતિમાજીઓ હોય છે. અહિં વૈમાનિક દેવલોકમાં ચૈત્યો ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજન પહોળા અને ૭૨ યોજન ઉંચા હોય છે. Ficus clef citen 74

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168