Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 47
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૬ પાંચ ભાવો આચાર્ય શૂદ્ધપિચ્છ ઉમાસ્વામી (વ્યક્તિત્વ અને કર્તુત્વ) तत्त्वार्थसूत्रकरिं, गृद्धपिच्छोपलक्षितम्। वन्दे गणीन्द्रसंजातमुमास्वामीमुनीश्वरम्।। ઓછામાં ઓછું લખીને વધારેમાં વધારે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર આચાર્ય વૃદ્ધપિચ્છ ઉમાસ્વામીના તત્ત્વાર્થસૂત્રથી જૈન સમાજ જેટલો અધિક પરિચિત છે, તેટલો જ તેમના જીવન-પરિચય સંબંધમાં અપરિચિત છે. તેઓ કુન્દકુન્દ્રાચાર્યના પટ્ટ શિષ્ય હતા તથા વિક્રમની પહેલી શતાબ્દીના અંતિમ કાળમાં તથા દ્વિતીય શતાબ્દીના પૂર્વાદ્ધમાં ભારતભૂમિને પવિત્ર કરી રહ્યા હતા. આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામી એ ગૌરવશાળી આચાર્યોમાંના એક છે, જેમને સમગ્ર આચાર્ય પરંપરામાં પૂર્ણ પ્રામાણિકતા અને સન્માન પ્રાપ્ત થયેલાં છે. જે મહત્ત્વ વૈદિકોમાં ગીતાનું, ઈસાઈઓમાં બાઈબલનું અને મુસલમાનોમાં કુરાનનું મનાય છે, તે જ મહત્ત્વ જૈન પરંપરામાં વૃદ્ધપિચ્છ ઉમાસ્વામીએ રચેલા તત્ત્વાર્થસૂત્રનું મનાય છે. તેનું બીજું નામ મોક્ષશાસ્ત્ર પણ છે. આ સંસ્કૃતભાષાનો સર્વપ્રથમ જૈન ગ્રંથ છે. ૪૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83