Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 61
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અભાવને પ્રધ્વસાભાવ કહેવાય. જિજ્ઞાસુ – પૂજ્યવર ગુરુદેવ! આપે દૂધ-દહીંનું ઉદાહરણ આપીને તો સમજાવી દીધું. કૃપા કરીને આત્મા પર ઘટાવીને વિશેષ સમજાવો. આચાર્ય સમન્તભદ્ર- અંતરાત્મારૂપ પર્યાયનો બહિરાત્મારૂપ પૂર્વ પર્યાયમાં અભાવ તે પ્રાગભાવ અને પરમાત્મારૂપ આગામી પર્યાયમાં અભાવ તે પ્રધ્વસાભાવ કહેવામાં આવે. જિજ્ઞાસુ- અને અન્યોન્યાભાવ? આચાર્ય સમન્તભદ્રઃ- એક પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં બીજા પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો અભાવ તે અન્યોન્યાભાવ છે. જેમકે લીંબુની વર્તમાન ખટાશ ખાંડની વર્તમાન મીઠાશમાં નથી. જિજ્ઞાસુ - આને પણ આત્મા પર ઘટાવીને બતાવો ને! આચાર્ય સમન્તભદ્રઃ- આ આત્મા પર ઘટે નહીં. તમે પરિભાષા ધ્યાન દઈને સાંભળી નથી તેથી આવો પ્રશ્ન કરો છો. પરિભાષામાં સ્પષ્ટ કહ્યું છે કે એક પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં બીજા પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો અભાવ તે અન્યોન્યાભાવ છે, તેથી આ માત્ર પુદ્ગલ દ્રવ્યમાં જ ઘટે છે અને તે પણ પુદ્ગલ દ્રવ્યોની માત્ર વર્તમાન પર્યાયમાં જ. જિજ્ઞાસુ - અત્યન્તાભાવ કોને કહે છે? આચાર્ય સમન્તભદ્ર- એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ તેને અત્યન્તાભાવ કહે છે. જેમકે જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યમાં પરસ્પર અત્યન્તાભાવ છે. ધ્યાન રાખો કે અત્યન્તાભાવ છયે દ્રવ્યોમાંથી કોઈપણ બે દ્રવ્યોમાં ઘટે છે. અન્યોન્યાભાવ બે પુદગલોની વર્તમાન પર્યાયોમાં ઘટિત થાય છે, પ્રાગભાવ છયે દ્રવ્યોમાંથી કોઈ એક દ્રવ્યની વર્તમાન અને પૂર્વ પર્યાયોમાં તથા પ્રધ્વસાભાવ છયે દ્રવ્યોમાંથી કોઈ એક જ દ્રવ્યની વર્તમાન અને ઉત્તર પર્યાયોમાં ઘટિત થાય છે. એક અત્યંતભાવ દ્રવ્યસૂચક છે, બાકી ત્રણેય ૫૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83